સુરતના કિમમાં પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હોવાની આશંકાઓ – જાણો સમગ્ર ઘટના

Published on: 2:14 pm, Mon, 7 February 22

સુરતના કિમ ગામમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં એક પતિએ પોતાની પત્નીનો જ જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર પંચવટી સોસાયટીમાં રહેતી 22 વર્ષીય યુવતીનો મૃત્યુ પાછળનું કોઈ જ કારણ જાણી શકાયું નથી. પરંતુ મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોએ ઘર જમાઈ તરીકે રહેતા પતિએ પોતાની દીકરીનો જીવ લીધો છે તેવા આક્ષેપ કર્યા છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી કિરણના 6 મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. મળતી માહિતી અનુસાર કિરણના પતિએ રાત્રિના સમયે કિરણનો જીવ લઈ લીધો હોવાના મૃત્યુ પામેલી કિરણના પરિવારજનોના આક્ષેપ છે.

મળતી માહિતી અનુસાર પત્નીનો જીવ લીધા બાદ પતિ ઘરને તાળુ લગાવીને ભાગી ગયો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી કિરણના પરિવારજનોએ જણાવ્યું કે, જ્યારે અમે વહેલી સવારે કિરણ ના રૂમ પર આવ્યા ત્યારે ત્યાં તાળુ જોઇને માતા-પિતા આશ્ચર્યમાં આવી ગયા હતા.

ત્યારે બારીમાંથી નજર કરી ત્યારે કિરણનું મૃતદેહ દેખાયું હતું. છ મહિના પહેલા કિરણના લગ્ન હરિશ્ચંદ્ર સાથે થયા હતા. એટલું જ નહીં પરંતુ છેલ્લા ચાર મહિનાથી હરિશ્ચંદ્ર કિરણના ઘરે ઘર જમાઈ બનીને રહેતો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના કિમમાં પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હોવાની આશંકાઓ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*