આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ઘરનો ઘેરાવો કરીને આપના કાર્યકર્તાઓએ રાજીનામાની કરી માંગ, જાણો કેમ ?

Published on: 9:46 am, Sun, 11 April 21

સુરત શહેરમાં કોરોના ની ખુબ જ ખરાબ પરિસ્થિતિ છે. રાજ્યના આરોગ્યમંત્રી સુરતના હોવા છતાં સુરતમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ નું સર્જન થયું છે. કોરોના દર્દીઓને સારવાર માટે બેડ, ઇન્જેક્શન અને ઓક્સિજન નથી મળી રહ્યો.

તેના માટે દર્દીઓના પરિવારજનોને ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ સારવાર ન મળતા આમ આદમી પાર્ટીના કાર્યકરો એ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરનો ઘેરાવ કર્યો હતો.

સુરતના દર્દીઓને સારવાર, બેડ, ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે ભટકી રહ્યા છે અને જેના કારણે સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી, દંડક ભાવનાબેન સોલંકી સહિતના શહેરના નગરસેવકો.

અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ઘરનો ઘેરાવ કરીને ‘ઇન્જેક્શન આપો, નહીતો રાજીનામું આપો’ના નારા લગાવીને રાજીનામાની માંગ કરતાની સાથે તેઓનો વિરોધ કર્યો હતો.

વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાન માં લઈને સરકાર અનેક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહી છે.કોરોના ની સ્થિતિ ને ધ્યાનમાં લઈને સરકાર વિવિધ પગલા લઈ રહી છે.અમુક ગામ અને જિલ્લાઓમાં સ્વયંભૂ લોકડાઉન લાદવામાં આવ્યું છે.

જયારે અમુક વેપારીઓ દ્વારા પણ સ્વયંભૂ લોકડાઉન લાદવામાં આવ્યું છે ત્યારે હવે લોકોનું હિત જોતા ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી 18 એપ્રિલ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ મોફૂફ રાખવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ઘરનો ઘેરાવો કરીને આપના કાર્યકર્તાઓએ રાજીનામાની કરી માંગ, જાણો કેમ ?"

Leave a comment

Your email address will not be published.


*