સુરતના વરાછા વિસ્તારમાં 2 બાળકોની માતાનું અચાનક જ કરુણ મોત… પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…

સુરત શહેરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને સુરતમાં છેલ્લા ઘણા સમયથી રોગચાળાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી છે. સુરતના યોગીચોક વિસ્તારમાં રહેતી 32 વર્ષની મહિલાને અચાનક જ ઝાડા-ઉલટી થવા લાગી હતી.

એટલા માટે મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ એક હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી મહિલાનું નામ કિરણબેન દિલીપભાઈ ધોરી હતું અને તેમની ઉંમર 32 વર્ષની હતી.

કિરણબેન યોગીચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. કિરણબેનના પતિ એમ્બ્રોડરીના કામ સાથે સંકળાયેલા છે. કિરણબેનનું મોત થતા જ બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

જાણવા મળી રહ્યું છે કે છેલ્લા ત્રણ દિવસથી કિરણબેનને ઝાડા ઉલટી થતી હતી. જેથી તેઓ સૌ પ્રથમ નજીકના દવાખાનામાં દવા લેવા માટે ગયા હતા. ત્યારે ગઈકાલે અચાનક જ બપોરના સમયે તેમની તબિયત વધારે બગડી ગઈ હતી. એટલે તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન કિરણબેને અંતિમ શ્વાસ લીધા હતા.

તેમના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનોને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ કિરણબેનના મૃતદેહને પોસ્ટ મોટો માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. તેમનું મોત કયા કારણોસર થયું તેની કોઈપણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*