કોરોના મહામારી દરમ્યાન ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પાસ થવા માટે આ વર્ષે માત્ર 100 માંથી 23 માર્ક ની જરૂર પડશે? જાણો શું કરી કેન્દ્રની મોદી સરકારે જાહેરાત.

Published on: 3:27 pm, Wed, 20 January 21

સોશિયલ મીડિયા પર વારંવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાં ઘણી ખબર ખોટી હોય છે. હાલમાં ધોરણ-10 અને 12ના બોર્ડની પરીક્ષાને લઈને આવી એક ખબર ફરી રહી છે. આ ખબર માં કહેવામાં આવ્યું છે કે આ વખતે બોર્ડની પરીક્ષા પાસ થવાના.

માર્ક્સ 33 ટકાથી ઘટાડીને 23 ટકા કરી દેવામાં આવ્યા છે જેને લઇને સરકારે સ્પષ્ટતા કરી છે.વાયરલ ખબર મુજબ આ વખતે બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે 33 માર્ક ઘટાડીને તેના 23 માર્ક કરી દેવામાં આવ્યા છે. કોરોના ના કારણે પ્રભાવિત થયેલા અભ્યાસના.

કારણે વિદ્યાર્થીઓના હીતમાં આ ફેસલો લેવામાં આવ્યો છે. તે ખબર માં કહેવામાં આવ્યું છે કે 2021 ની બોર્ડની પરીક્ષામાં હવે વિદ્યાર્થીઓ માત્ર 100 માંથી 23 માર્ક લાવી પાસ થઈ શકશે.પીઆઈબી ફેકટ છેકે ટ્વીટ કરીને લખ્યું છે કે સોશિયલ મીડિયા માં.

એક પોસ્ટ પર આ દાવો કરવામાં આવી રહ્યો છે કે 10 માં અને 12 માં બોર્ડની પરીક્ષામાં હવે પાસ થવા માટે 33 ટકાથી ઘટાડીને 23 ટકા કરી દેવામાં આવ્યા છે અને આ દાવો ફેક છે.અનેક વધારેમાં કહેવામાં આવ્યું કે શિક્ષણ મંત્રાલય આવી કોઈ પ્રકારની જાહેરાત કરી નથી.

નોંધનીય છે કે, પિઆઇબી ફેકટ ચેક કેન્દ્ર સરકારની પોલીસી સ્કીમ,ભાગો મંત્રાલયો ને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઇપણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે તમે પણ પીઆઇબિ ફેકટ ચેક ની મદદ લઈ શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી દરમ્યાન ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પાસ થવા માટે આ વર્ષે માત્ર 100 માંથી 23 માર્ક ની જરૂર પડશે? જાણો શું કરી કેન્દ્રની મોદી સરકારે જાહેરાત."

Leave a comment

Your email address will not be published.


*