રાજ્ય સરકારનો કડક નિર્ણય : કોરોના વાયરસનું સંક્રમણ વધતા રાજ્યના આ શહેરમાં લાદવામાં આવ્યું સંપૂર્ણ લોકડાઉન.

Published on: 3:42 pm, Wed, 24 March 21

કોરોનાવાયરસ દેશમાં હાહાકાર સ્વરૂપ લીધું અને સરકાર દ્વારા વાયરસનું સંક્રમણને રોકવા માટે લોકડાઉન નો કડક નિર્ણય લેવામાં આવ્યો તો તેને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે ત્યારે ફરી એક વખત કોરોના એ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે.

સમગ્ર ભારતભરમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં પણ સૌથી વધારે હાલત ખરાબ મહારાષ્ટ્રની છે. રાજ્યમાં વધતા જતા કોરોના કેસો ને જોઈને રાજ્ય સરકાર દ્વારા એક બાદ એક કડક નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

ત્યારે મહારાષ્ટ્ર સરકારે વધુ એક કડક નિર્ણય લીધો છે.મહારાષ્ટ્રના નાંદેડ અને બીડમાં કોરોનાના સતત વધતા કેસને લઈને વહીવટી તંત્ર દ્વારા આગામી 26 માર્ચથી લઇને 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત કરી દીધી છે.

આ સમય દરમ્યાન કડક લોકડાઉન નું પાલન કરવામાં આવતાં આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેના કારણે કોરોના સંક્રમણ ની ચેન તોડી શકાય.

મિત્રો કોરોના વાયરસ ના કેસમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે.ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા.

આંકડાઓ પ્રમાણે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 1730 કેસ નોંધાયા હતા.1255 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધીમાં 2,77,603 કોરોના મુક્ત થયા છે.

તો 4 લોકોને સારવાર દરમિયાન મોત થયા છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4458 લોકોના મોત કોરોના ના કારણે થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્ય સરકારનો કડક નિર્ણય : કોરોના વાયરસનું સંક્રમણ વધતા રાજ્યના આ શહેરમાં લાદવામાં આવ્યું સંપૂર્ણ લોકડાઉન."

Leave a comment

Your email address will not be published.


*