પુત્રે ગુમાવી પિતાની છત્રછાયા : એક સંતાનના પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 12:10 pm, Wed, 19 January 22

રામપુરા ભંકોડામાં બનેલી ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક સંતાનના પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર અગમ્ય કારણોસર પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

મનમેળ ન હોવાના કારણે છેલ્લા છ મહિનાથી મૃત્યુ પામેલા વ્યક્તિની પત્ની અને પુત્ર બંને જાણે કડી તાલુકાના બુડાસણ ગામે રહેતા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ગીરીશભાઈ પરસોતમભાઈ છે.

તેઓએ પોતાના ઘરમાં દરવાજાની જાળી પર કપડું બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર નજીક રહેતા કુટુંબી ભાઈ સાંજે જમવાના સમયે જમવાનું કહેવા આવ્યા ત્યારે તેઓને ઘરમાંથી ગીરીશભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળી આવ્યું હતું.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા ગિરીશભાઇના મૃતદેહને નીચે ઉતારીને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગીરીશભાઈ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેનું હજુ કોઈ પણ સાચું કારણ સામે આવ્યો નથી. પરંતુ પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું છે કે અગમ્ય કારણોસર તેમને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પુત્રે ગુમાવી પિતાની છત્રછાયા : એક સંતાનના પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*