હે ભગવાન..! કેક લઈને ઘરે જતા વ્યક્તિ સાથે રસ્તામાં કંઈક એવી ઘટના બની કે… હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

હાલમાં ગુજરાત રાજ્યમાં ચારેય બાજુ સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આવા વરસાદના વાતાવરણમાં અકસ્માતની ઘટનાઓ પણ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વિસાવદર જુનાગઢ રોડ ઉપર મોણીયા ગામ નજીક બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં મોણીયા ગામ નજીક પાણીના પ્રવાહમાં એક કાર પલટી ખાઈ ગઈ હતી. આ કારણોસર કારમાં સવાર કાર ચાલક ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. તમને જણાવી દે કે વિસાવદર પદાર્થમાં શુક્રવારના રોજ ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું.

આ દરમિયાન વિસાવદર ખાતે નમકીનની એજન્સી ધરાવતા ચાપરડાના રહેવાસી નિલેશભાઈ મનસુખભાઈ પટોળીયા રાત્રિના સમયે કેક લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. 37 વર્ષીય નિલેશભાઈ જ્યારે પોતાની કાર લઈને મોણીયા ગામ નજીક પહોંચ્યા ત્યારે રોડ ઉપરથી ખૂબ જ જોરદાર પ્રવાહમાં પાણી વહેતું હતું.

આ દરમિયાન નિલેશભાઈ કાર પાણીના જોરદાર પ્રવાહમાં પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી ખાઈ જતા જ નિલેશભાઈ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં નિલેશભાઈને સારવાર માટે વિસાવદર ખસેડવામાં આવ્યા હતા.

અહીં સારવાર દરમિયાન નિલેશભાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. નિલેશભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*