સુરતના આ ભાગીદારોની અમુક જમીન ઘણા સમયથી વેચાતી ન હતી, માં મોગલની માનતા રાખી અને જમીન વેચાઈ ગઈ, 51 હજાર રૂપિયા લઈને મોગલધામ પહોંચ્યા ત્યાર પછી થયું એવું કે…

Published on: 6:54 pm, Fri, 24 June 22

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલ ના દર્શન માત્રથી બધા જ ભક્તોના દુઃખ દૂર થાય છે. એવામાં કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે માં મોગલ ને આજ દિન સુધી લાખો માઇભક્તો ને પરચા પણ બતાવ્યા છે. ભક્તો પણ માં મોગલ ના દર્શન માત્ર થી ધન્ય ધન્ય થઈ જાય છે અને માં મોગલ ના દર્શન કરીને હસતા મોઢે ઘરે પરત ફરતા હોય છે.

એવામાં વાત કરીશું તો માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે અને ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે ત્યારે અચૂક માં મોગલ ને યાદ કરતા હોય છે. માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોના જીવનમાં થી દુઃખ દૂર કરે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

એવામાં આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં એ સુરતથી બંને ભાગીદારો તેમની માનતા પૂરી થતાની સાથે જ પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ મોગલ ધામ એ આવી પહોંચ્યા હતા. માં મોગલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

આપણે બધા જ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આજે મણીધર બાપૂ પણ ત્યાં બિરાજમાન છે, ત્યારે આ બંને ભાગીદારો પોતાની માનતા પૂરી કરવા માટે એક મંદિરે આવ્યા અને માં મોગલના આશીર્વાદ લીધા અને સાથે મણીધર બાપુના પણ આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી.

ત્યારે કબરાઉ ધામ બિરાજમાન એવા મણીધર બાપુએ એ બંને ભાગીદારોને આશીર્વાદ આપતા કહ્યું કે બેટા શેની માનતા હતી. બંને યુવકોએ કહ્યું કે તેમની અમુક જગ્યા ઘણા સમયથી વેચાતી ન હતી કે જે માં મોગલ પર શ્રદ્ધા રાખી તેનાથી વેચાઈ ગઈ હોવાથી 51 હજાર રૂપિયાની માનતા માની હતી.જે પૂરી કરવા કબરાઉ ધામ આવી પહોંચ્યા હતા.

મણીધર બાપુએ 51 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને એ બંને ભાગીદારો ને કહ્યું કે આ પૈસામાંથી 25000-25000 તમે તમારી બહેનોને આપજો માં મોગલ રાજી થશે. મણીધર બાપુએ વિશેષમાં કહ્યું કે માં મોગલ એ તમારી માનતા સો ગણી સ્વીકારી છે અને માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.માં મોગલ નો કોઈ ચમત્કાર પણ નથી આતો માં મોગલ પર રાખેલો વિશ્વાસ કે જે તમને ફળ્યો છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના આ ભાગીદારોની અમુક જમીન ઘણા સમયથી વેચાતી ન હતી, માં મોગલની માનતા રાખી અને જમીન વેચાઈ ગઈ, 51 હજાર રૂપિયા લઈને મોગલધામ પહોંચ્યા ત્યાર પછી થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*