દેશમાં કોરોનાની રસી લીધા બાદ આટલા લોકોના થયા મૃત્યુ, જાણો વિગતવાર.

Published on: 5:09 pm, Mon, 14 June 21

દેશમાં અત્યારે રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે તેવામાં એક ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યો. દેશમાં સોમવારે ડેટા અનુસાર જાહેર થયું કે 26 હજાર લોકોને કોરોના ની રસી ની આડ અસર થઈ છે. દેશમાં 16 જાન્યુઆરી થી 7 જૂન સુધીમાં કુલ 23.5 કરોડ લોકોને રસી અપાઇ છે.

છેલ્લા 143 દિવસની અંદર 10,000 લોકોને રસી અપાઇ છે તેમાંથી ફક્ત એક વ્યક્તિને જ રસી લીધા બાદ આડ અસર જોવા મળી છે. અત્યાર સુધીમાં રસી લીધા બાદ દેશમાં 0.1 ટકા લોકોને આડ અસર જોવા મળી છે.

જે રીતે દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તેની સામે કોરોના ની રસી લીધા બાદ આડઅસર થવી અને તેના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. રસી લીધા બાદ પ્રકારના કેસો જોવા મળે છે.

સામાન્ય રીતે તાવ, દુખાવો તથા જે ભાગમાં ઇન્જેક્શન લીધું છે ત્યાં સોજા પડી જાય છે. બીજા પ્રકારમાં આડ અસર ખૂબ જ લાંબા સમય સુધી નથી રહેતી પરંતુ ખૂબ જ પીડાદાયક હોય છે.

AEFI ના ગંભીર કેસમાં હોસ્પિટલના દાખલ થવાની નોબત આવે છે. પરિણામે દર્દીનું મૃત્યુ થઇ શકે છે કે વિકલાંગ બની શકે છે. આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 80834 કોરોના નવા કેસો સામે આવ્યા છે. 3303 લોકોના કોરોના ના કારણે મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં કોરોનાની રસી લીધા બાદ આટલા લોકોના થયા મૃત્યુ, જાણો વિગતવાર."

Leave a comment

Your email address will not be published.


*