ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા અને આટલા લોકો ના મૃત્યુ થયાં, જાણો વિગતે

Published on: 11:11 pm, Tue, 13 July 21

રાજ્ય સરકાર દ્વારા કોરોના નવા કેસ ના આંકડા સામે આવ્યા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના કારણે 31 નવા કેસ નોંધાયા છે. અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના કારણે એક પણ એક વ્યક્તિનુ મૃત્યુ થયું નથી. આજે ફરી એક વખત ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ધટી અને સાજા થનારનો આંકડો વધ્યો.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 10074 લોકોના મૃત્યુ થયા છે. ગઇકાલ કરતા રાજ્યમાં આજે પણ કોરોના કેસ માં ઘટાડો જોવા મળ્યો છે. આજરોજ કોરોના માંથી 113 દર્દીઓ સાજા થયા છે.

અત્યાર સુધીમાં કોરોના માંથી 813512 દર્દીઓ મુક્ત થયા છે. રાજ્યમાં આજે 253308 લોકોને કોરોના ની રસી આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 28368489 લોકોને કોરોના ની રસી અપાઇ ચૂકી છે.

ગુજરાતમાં કોરોના કેસનો આંકડો 931 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 9 કેસ કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોના 7 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે કોરોના નવા 4 કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં કોરોના નવા 1 કેસ નોંધાયા છે. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં 10 થી ઓછા દૈનિક કોરોના કેસ નોંધાયા છે. જયારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કોરોના કેસ નોંધાયો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા અને આટલા લોકો ના મૃત્યુ થયાં, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*