ગુજરાતમાં નવા આટલા કોરોના કેસ નોંધાયા અને છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં, જાણો વિગતે.

Published on: 10:34 pm, Sun, 11 July 21

રાજ્ય સરકાર દ્વારા કોરોના નવા કેસ ના આંકડા સામે આવ્યા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના કારણે 42 નવા કેસ નોંધાયા છે. અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના કારણે એક પણ એક વ્યક્તિનુ મૃત્યુ થયું નથી.

આજે ફરી એક વખત ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ધટી અને સાજા થનારનો આંકડો વધ્યો. મગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 10073 લોકોના મૃત્યુ થયા છે.

ગઇકાલ કરતા રાજ્યમાં આજે પણ કોરોના કેસ માં ઘટાડો જોવા મળ્યો છે. આજરોજ કોરોના માંથી 262 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોના માંથી 813238 દર્દીઓ મુક્ત થયા છે. રાજ્યમાં હાલમાં 9 લોકો વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં કોરોના કેસનો આંકડો 931 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 7 કેસ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના 0 કેસ નોંધાયા છે.

સુરત શહેરમાં કોરોના 11 નવા કેસ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના 2 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે કોરોના નવા 3 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કોરોના નવા 3 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં નવા આટલા કોરોના કેસ નોંધાયા અને છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*