સુરત શહેરમાં ખાણી-પીણી અને પાન-માવા ના ગલ્લા બંધ કરવા, SMC એ આપ્યો આદેશ.

Published on: 5:29 pm, Tue, 13 April 21

ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત શહેરમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં સતત કેસ વધારો થતાં હોસ્પિટલમાં બેડ ખાલી નથી અને બીજી તરફ દર્દીના સારવાર માટે જરૂરી ઇન્જેક્શન ની પણ સુરતમાં કમી પડી છે.

આ કારણે સુરત મહાનગરપાલિકાએ કોરોના સંક્રમણ અટકાવવા માટે ખાણીપીણી અને ચાની લારી ની દુકાને અને પાન-મસાલાનાં ગલ્લા બંધ કરવાનો આદેશ આપ્યો છે.

સુરત મહાનગરપાલિકાએ જણાવ્યું કે ગલ્લા અને ખાણીપીણીની લારીઓ પર ખૂબ જ ભીડ એકઠી થાય છે. તેના કારણે કોરોના ની ગાઈડલાઈન નો ભંગ થાય છે. અને લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થતું નથી.

તેના કારણે શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સંભાવના રહે છે.તેના કારણે સુરત મહાનગરપાલિકા પાન માવા ના ગલ્લા અને ખાણીપીણીની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે.

અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા સાત દિવસ માટે પણ ખાણીપીણી અને રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સુરત મહાનગરપાલિકા પાન માવા ના ગલ્લા અને ચાની લારીઓ બંધ કરવાનો આદેશ આપી રહી છે.

હાલમાં સુરતની સિવિલ હોસ્પિટલ માં કોરોનાના 1241 દર્દીઓ ગંભીર હાલતમાં છે.તેમાં 877 દર્દી ઓક્સિજન ઉપર છે અને 175 દર્દીને બાયાપેપ રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાએ શહેરના લોકોને કોરોના ની ગાઈડ લાઈન્ પાળવા માટે કડક આદેશ આપ્યા છે. અને જે વ્યક્તિઓ આ માસ્કને ઘરે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત શહેરમાં ખાણી-પીણી અને પાન-માવા ના ગલ્લા બંધ કરવા, SMC એ આપ્યો આદેશ."

Leave a comment

Your email address will not be published.


*