ઊંઘમાં સુતા માતા-પિતા અને 27 દિવસની માસુમ બાળકી જીવતા સળગી ગયા, મોડી રાત્રે પરિવાર સાથે અચાનક જ કાંઈક એવું બન્યું કે… સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

Published on: 11:34 am, Thu, 23 February 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પરિવાર સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. અચાનક જ રૂમમાં આગ લાગતા પતિ-પત્ની સહિત 27 દિવસની બાળકી જીવતા સળગી ગયા હતા. જેના કારણે માતા-પિતા અને 27 દિવસની બાળકીનું કરુણ મૃત્યુ થયું છે. ઘટના સ્થળેથી ઘરમાં રાખેલું ફ્રિજ ફાટેલી હાલતમાં જોવા મળ્યું હતું.

આ ઉપરાંત ઘરવખરીનો તમામ સામાન વેરવિખેર થઈ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટ થવાના કારણે આ દર્દનાક ઘટના બની હતી. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ કરવું એ ઘટના મંગળવારના રોજ મોડી રાત્રે હરદોઈમાં બની હતી. રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ અચાનક જ ઘરમાં આગ લાગી ઉઠી હતી.

સમગ્ર ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘરમાં લાગેલી આગ બુજાવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ભયંકર આગના કારણે રૂમમાં હાજર માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલા માતા પિતાને સારવાર માટે લખનઉ મોકલવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

વિગતવાર વાત કરીએ તો 25 વિમલેશ વિમલેશ નામનો યુવક ખેતી કામ કરતો હતો. તે પોતાની 22 વર્ષની પત્ની પુષ્પા અને લગભગ એક મહિનાની દીકરી દિવ્યાંશી સાથે રહેતો હતો. મંગળવારના રોજ રાત્રિના સમયે તે પોતાની પત્ની અને બાળકી સાથે રૂમમાં સૂતો હતો. ત્યારે રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ રૂમમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. આ ઉપરાંત રૂમમાંથી રડવાનો અવાજ સંભળાવવા લાગ્યો હતો.

જેના કારણે આસપાસના લોકો જાગી ગયા હતા અને ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. રૂમમાં લાગેલી આગ જોઈને લોકોએ પાણી નાખીને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ રૂમમાં ફસાયેલા પતિ પત્નીને ગમે તેમ કરીને બચાવી લીધા હતા. પરંતુ માસુમ બાળકે ગંભીર રીતે દાઝી ગઈ હતી.

ઘટનામાં દાઝી ગયેલા પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે બંને પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગંભીર રિતે દાઝી જવાના કારણે માસુમ બાળકીનું પણ મૃત્યુ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટ થવાના કારણે આ ગંભીર ઘટના બની હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોના દર્દનાક મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઊંઘમાં સુતા માતા-પિતા અને 27 દિવસની માસુમ બાળકી જીવતા સળગી ગયા, મોડી રાત્રે પરિવાર સાથે અચાનક જ કાંઈક એવું બન્યું કે… સાંભળીને કાળજુ કંપી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*