એક સાથે 6 લોકોની જિંદગી બચી, નાનકડા નવ વર્ષના બ્રેઇનડેડ બાળકના અંગદાનથી 6 વ્યક્તિઓને મળ્યું નવું જીવન…

Published on: 4:07 pm, Mon, 24 April 23

શહેરમાં નાનકડા બાળકના અંગદાનની અભૂતપૂર્વક ઘટના બની છે, પૂણા વિસ્તારમાં રહેતા અંટાળા પરિવારે ધોરણ ચારમાં અભ્યાસ કરતા પોતાના એકના એક નવ વર્ષના બ્રેઈનડેડ પુત્રના છ અંગોનું દાન કરીને માનવતાની નવી મિશાલ કાયમ કરી છે. બ્રેઈન ડેડ બાળકના લીવર, બે કિડની, ફેફસા અને બંને આંખોના દાન કરી છ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે.

 કિર્તેશ પટેલ, સુરત: શહેરના નાનકડા બાળકના અંગદાનની અભૂતપૂર્વ ઘટના બની છે. પૂણા ગામના અંટાળા પરિવારે ધોરણ-૪ માં અભ્યાસ કરતા પોતાના એકના એક ૯ વર્ષના બ્રેઈનડેડ બાળકના છ અંગોનું દાન કરીને માનવતાની મિસાલ કાયમ કરી છે. સુરત શહેરના સિમાડા વિસ્તારમાં આવેલી એઈમ્સ (AAIHMS) હોસ્પિટલમાં બે દિવસથી સારવાર લઈ રહેલું બાળક બ્રેઈનડેડ થતા બાળકના પરિવારે તમામ અંગોનું દાન કરવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો છે. બ્રેઈનડેડ બાળકના  લીવર, બે કિડની, ફેફસા અને બે આંખોના દાન કરી છ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે. ફેફસાં એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ તેમજ લીવર અને કિડની કે.ડી. હોસ્પિટલ- અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા છે.           

ફેફસાં એમ. જી. એમ. હોસ્પિટલ ચેન્નઈ તેમજ લીવર અને કીડની હોસ્પિટલ અમદાવાદની ટીમ ટ્રાન્સપ્લાન્ટ માટે સ્વીકાર્યા હતા. અમરેલી જિલ્લાના ધારી ના વતની અને, પૂણાના યોગી ચોક પાસે યોગી દર્શન સોસાયટીમાં રહેતા નયનભાઈ અંટાળા રત્ન કલાકાર છે. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા નયનભાઈ ને સંતાનમાં એકમાત્ર નવ વર્ષીય પુત્ર આરવ હતો.

 અહીં ન્યુરોસર્જન તબીબોની ટીમના ડો.મૌલિક પટેલ, ડો.દિપેશ કક્કડ, ડો.હિતેષ ચિત્રોડાએ સારવાર શરૂ કરી. તેમણે બાળકનો જીવ બચાવવા આઈ.સી.યુ.માં ખસેડી તાત્કાલિક બ્રેઈન ઓપરેશન કર્યું. ન્યુરોસર્જન, આઈ.સી.યુ. તબીબી ટીમની મહેનત છતાં ઈશ્વરની મરજી આગળ કોઈનું ન ચાલતા આખરે ત્રણ દિવસ બાદ તા.૨૨મીની રાત્રે આરવને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો.  (બાળકની ફાઇલ તસવીર)             

29 મેએ રમતા રમતા આરવ ને માથાના ભાગે ઈજા થઈ હતી, જેથી પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે કામરેજની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર હિતેશ કલસરિયા એ પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈજાની ગંભીરતા સમજી સીમાડા ખાતે આવેલી એઈમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જ્યાં તબીબોની ટીમે સારવાર શરૂ કરી તાત્કાલિક બ્રેઈન ઓપરેશન કર્યું હતું.

 પરિવારજનોએ જણાવ્યું હતું કે, અંગદાન વિશે અખબારો અને ન્યુઝચેનલોમાં ઘણી વખત વાંચ્યું અને જોયું છે. અંગદાનથી અન્ય લોકોને જીવનદાન મળે છે એવી અમને સામાન્ય સમજ છે. અમારો આરવ આ દુનિયામાં નથી રહ્યો, પણ અંગદાન કરવાથી તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતો હોય તો એનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે? એમ જણાવી આરવના શક્ય હોય તે તમામ અંગોનું દાન માટે આગળ વધવા સંમતિ આપી હતી. દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બનનાર આ પરિવારની સંમતિ મળતા સુરતી ડોનેટ લાઈફ સંસ્થાના નિલેશભાઈ માંડલેવાલાના સહયોગથી સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. જેમાં બે અલગ-અલગ હોસ્પિટલોની ટીમ આજ રોજ સિમાડાની એઈમ્સ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ આવી પહોંચી હતી.                  

જો કે ત્રણ દિવસની સારવાર બાદ 22 મે એ રાત્રે આરવને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો. બાળકના પરિવારમાંથી જ આવતા ડોક્ટર ચતુર ડોબરીયા, એઈમ્સના ડો. જીગ્નેશ ધામેલીયા અને ડોક્ટર હિતેશ ચિત્રોડા એ પરિવારજનોને અંગદાન અંગે સમજ આપી હતી. વ્હાલ સોયા પુત્રને ગુમાવનાર માતા પિતા કિરણબેન અને નયનભાઈ સહિત તમામ અંટાળા પરિવાર એ અંગદાન નો માનવતા સભર નિર્ણય કર્યો હતો.

 મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને સુરતના પૂણા ગામ, યોગીચોક પાસે યોગીદર્શન સોસાયટીમાં રહેતા નયનભાઈ અંટાળા રત્નકલાકાર છે. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા નયનભાઈને સંતાનમાં ૯ વર્ષીય પુત્ર આરવ હતો. આરવ તેમનો એકનો એક પુત્ર હતો. ગત તા.૧૯મી એપ્રિલના રોજ રમતા-રમતા આરવને માથાના ભાગે ઈજા થઈ હતી. જેથી પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે કામરેજની વાત્સલ્ય હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ફરજ પરના ડો.હિતેષ કલસરિયાએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની ઈજાની ગંભીરતા સમજી સિમાડા ખાતે આવેલી એઈમ્સ (AAIHMS) મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રિફર કર્યા હતા.

પરિવારની સંમતિ બાદ ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાલા ના સહયોગથી સોટો નોટોની ગાઈડ લાઈન મુજબ પ્રક્રિયા કરાઈ હતી. જેમાં બે હોસ્પિટલોની ટીમ સીમાડા એઈમ્સ મલ્ટી સ્પેશિયાલિટી ખાતે આવી હતી. શહેરના તબીબોના પ્રયાસો અને પરિવારની દરિયા દિલથી છ દર્દીના જીવન ફરી ખીલી ઉઠશે.

 ફેફસાં એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ તેમજ લીવર અને કિડની કે.ડી.હોસ્પિટલ- અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. અંગદાનના આ સેવાકાર્યમાં એઈમ્સ હોસ્પિટલના ડો.રિતેશ વેકરિયા, ડો.રાજેશ રામાણી, ડો.મિલન સોજીત્રા, ડો.ડેનિશ પટેલ, ડો.અંકુર રંઘોળીયા સહિત એઈમ્સ હોસ્પિટલ સ્ટાફ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આમ, સુરતના તબીબોના પ્રયાસો અને અંટાળા પરિવારની દરિયાદિલીથી માનવતાની મિસાલ ઉભી થઈ. ‘સ્વ.આરવના અંગોના દાનથી છ દર્દીઓના જીવનમાં ગુંજારવ થશે. નાનકડો આરવ મૃત્યુ બાદ પણ અંગદાન થકી માનવતાની મહેંક ફેલાવતો ગયો.  

નાનકડો આરવ પણ જતા જતા માનવતાને મહેક ફેલાવતો ગયો છે, આરવ દુનિયામાં નથી રહ્યો પણ અંગદાન નથી કોઈના શરીરમાં જીવંત રહેતો હોય એનાથી મોટું સેવા કાર્ય બીજું શું હોઈ શકે ? એવી લાગણીથી આરવના શક્ય હોય તે તમામ અંગોનું દાન કરવા આગળ વધવાનો નિર્ણય લેવાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક સાથે 6 લોકોની જિંદગી બચી, નાનકડા નવ વર્ષના બ્રેઇનડેડ બાળકના અંગદાનથી 6 વ્યક્તિઓને મળ્યું નવું જીવન…"

Leave a comment

Your email address will not be published.


*