ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવાના અપાયા આદેશ…

Published on: 3:24 pm, Wed, 29 September 21

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ શાહીન વાવાઝોડું આવતીકાલે સક્રિય થાય તેવી પૂરી સંભાવના છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડાના કારણે પોરબંદરમાં પણ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કરી દીધું છે.

આ ઉપરાંત બંદરો પરથી તાત્કાલિક માછીમારોને પાછા બોલાવી લીધા છે. જ્યારે ઝડપી પવનના કારણે દરિયો તોફાની બને અને દરિયામાં મોજા ઉછળવાની શક્યતા રહે ત્યારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સ્થાનિક ચેતક સપાટી વાળી હોવાના કારણે બંદર ભયમાં હોવાથી માહિતી આપવા માટે બંદરે આ લગાડવામાં આવે છે. મળતી માહિતી અનુસાર પોરબંદરની સાથે સાત વલસાડના તિથલ દરિયો પણ ભારે તોફાની બન્યો છે.

આ ઉપરાંત ગુલાબ વાવાઝોડાની અસરના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ભારે પવનના કારણે તિથલ દરિયા કિનારા પર લાગેલા સ્ટોલ પણ હવામાં ઉડી ગયા છે.

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરના કારણે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

ખાસ કરીને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવાના અપાયા આદેશ…"

Leave a comment

Your email address will not be published.


*