ચોંકાવનારી ઘટના : કબડ્ડીના ખેલાડીએ પોતાના ઘરથી 200 મીટર દૂર આંબાના ઝાડ પર લટકીને ગળેફાંસો ખાઈ લીધો – જાણો વિગતો

Published on: 5:17 pm, Sat, 5 March 22

એક કબડ્ડીના ખેલાડી ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. ખેલાડીનું મૃતદેહ તેના ઘરથી 200 મીટર દૂર આંબાના ઝાડ પર લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ઉંદિયાના રહેવાસી 22 વર્ષીય મહિપાલ ભામતે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

તે કોલેજના ત્રીજા વર્ષમાં ભણતો હતો. આ સમગ્ર ઘટનાને લઇને તેના પિતા શંભુભાઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. આ ઘટના બની ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. ત્યાર બાદ મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને મહિપાલના પિતાએ જણાવ્યું કે, ગુરૂવારના રોજ રાત્રે જમ્યા બાદ બધા સુઈ ગયા હતા. જ્યારે 11 વાગ્યાની આસપાસ મહિપાલની માતા જાગે ત્યારે તેને મહિપાલને ખાટલા પર જોયો ન હતો.

ત્યારે તેમને આ વાતની જાણ પરિવારજનોને કરી હતી. ત્યાર બાદ પરિવારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી અને પરિવારના તમામ સભ્યોએ મહિપાલની શોધખોળ શરૂ કરી હતી.

શોધખોળ દરમિયાન ઘરથી લગભગ 200 મીટર દૂર આંબાના ઝાડ પર લટકતી હાલતમાં મહિપાલનું મૃતદેહ મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર પરિવારના તમામ સભ્યો રડી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચોંકાવનારી ઘટના : કબડ્ડીના ખેલાડીએ પોતાના ઘરથી 200 મીટર દૂર આંબાના ઝાડ પર લટકીને ગળેફાંસો ખાઈ લીધો – જાણો વિગતો"

Leave a comment

Your email address will not be published.


*