રાજ્યમાં કોરોના વાયરસ ના ખૂબ જ ઝડપથી કેસ વધી રહ્યા છે.વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે.ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશન ના પ્રમુખ સંજય જોશીએ.
મુખ્યમંત્રી ને પત્ર પાઠવી સહયોગ આપવાની ખાતરી આપી છે.પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશન આગામી એક મહિના માટે સમગ્ર.
ગુજરાત માં દરેક પાન મસાલાના ગલ્લા માલિકો દર શનિવાર રવિવાર સ્વયંભૂ બંધ પાળવા તૈયારી દર્શાવી છે.ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડ ના ખ્યાતનામ જવેલર્સ પણ.
શનિ રવી બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે જ્યાં ચેમ્બર સાથે 28 થી 30 એસોસિએશન જોડાઇ ને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.
નોંધનીય છે કે,ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જયારે વધુ 42 ના મુતયુ થયા છે.ગુજરાત માં કોરોના એ તમામ રેકોર્ડ તોડી દીધા છે.
ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સોથી વધુ કેસ છે.આ પહેલા ગઈકાલે 9 એપ્રિલ 4 હજાર થી વધુ નવા કેસ નોંધાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "એક મહિના સુધી શનિ રવિ પાન મસાલાની દુકાનો રહેશે બંધ, જાણો કોણે લીધો મોટો નિર્ણય ?"