સુરેન્દ્રનગરમાં ST બસ અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત – રીક્ષા ચાલકનું કરૂણ મૃત્યુ…

Published on: 9:15 am, Sun, 30 January 22

સુરેન્દ્રનગર માં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક રિક્ષા ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર કેરાળા પાસે એસટી બસને રિક્ષા વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

અકસ્માત બન્યા બાદ એસટી બસ ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં રિક્ષાચાલક ના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તે આ કારણોસર તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો આ ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત આ અકસ્માતની જાણ પોલીસને કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા રિક્ષાચાલક ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિક્ષાચાલક કોણ છે? ક્યાંનો રહેવાસી છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસે તેના પરિવારજનોની શોધખોળ કરી રહી છે અને આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!v

Be the first to comment on "સુરેન્દ્રનગરમાં ST બસ અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત – રીક્ષા ચાલકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*