અંકલેશ્વરમાં ST બસ અને કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના મૃત્યુ, 5 થી વધુ ઈજાગ્રસ્ત…

Published on: 4:03 pm, Thu, 10 February 22

છેલ્લા થોડાક દિવસથી અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. ત્યારે ભરૂચના અંકલેશ્વર ખાતેના ગડખોલ પાટીયા પાસે મોડી રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં એસટી બસ અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત 5 થી પણ વધારે લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે. અકસ્માત બન્યા બાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ગડખોલ નજીક ઓવરબ્રિજ પાસે GJ 18 Z 7633 નંબરની એસટી બસ અને GJ 19 AA 55T4 નંબરની કાર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 25 વર્ષીય થરાદ ઉસ્તાદ નામના યુવાનનું તેમજ તેઓના ઝારખંડથી આવેલા સાથી મિત્રનું કરૂણ મૃત્યુ થયું છે. અકસ્માત બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો દાખલ કરીને મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અંકલેશ્વરમાં ST બસ અને કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના મૃત્યુ, 5 થી વધુ ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*