સુસાઈડ કરેલી હાલતમાં પત્નીને જોઈને પતિએ પણ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો બંને વચ્ચે એવું તો શું બન્યું હશે…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઈડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે અમદાવાદમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અમદાવાદના સરખેજના આંબલી ગામમાં એક પતિ-પત્નીએ સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા આજે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, પતિને પોતાની પત્ની ઉપર શંકા હતી આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થતો હતો. જેનાથી પત્નીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. ત્યારે પતિએ પોતાની પત્નીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી અને ત્યારબાદ તેને પણ સુસાઇડ કર્યું હતું.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 38 વર્ષના યોગેશભાઈ ઠાકોર પોતાની પત્ની પારુલબેન અને બે સંતાનો સાથે રહેતા હતા. છેલ્લા ઘણા સમયથી યોગેશભાઈ અને પારુલ બેન વચ્ચે માથાકૂટ થતી હતી. ત્યારે શુક્રવારના રોજ સવારના સમયે યોગેશભાઈ અને પારુલ બેન ઘરમાં હાજર હતા.

ત્યારે બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો થયા બાદ યોગેશભાઈ નાસ્તો લેવા માટે બહાર ગયા હતા. જ્યારે યોગેશભાઈ નાસ્તો લઈને ઘરે પાછા આવ્યા ત્યારે તેમની પત્ની પારુલ બેને ગળાફાંસો ખાઈ લીધો હતો. પત્નીને આ હાલતમાં જોઈને યોગેશભાઈ પણ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યો છે કે, પારુલ બેનને આડા સંબંધ હોવાથી યોગેશભાઈ તેમના ઉપર શંકા રાખતા હતા આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. હાલમાં તો તેઓ કહેવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*