બોલો વચ્છરાજ દાદાની જય…! કચ્છના ખારા રણમાં વીર વચ્છરાજ દાદાનો ચમત્કાર, ખારા રણની જમીનમાંથી આજે પણ નીકળે છે મીઠા પાણીનું ઝરણું…

મિત્રો આપણે સૌ કોઈ લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત કચ્છના ખારા રણમાં બિરાજમાન વીર વચ્છરાજ દાદાના મંદિર વિશે તો સાંભળ્યું જ હશે. ત્યારે આજે અમે તમને દાદાના મંદિર વિશે કોઈ દે ન સાંભળેલી કેટલીક વાતો કરવાના છીએ. વીર વચ્છરાજ દાદાએ 18 લુટેરાઓને એણે જનોઈવઢથી ધાથી વેતરી નાખ્યા હતા.

પછી તો લુટેરાઓ ભાગ્યા પરંતુ તેમાંથી એક લુટેરાય દાદા પર પાછળથી તલવારનો ઘા કર્યો હતો. જેથી દાદાનું મસ્તક તેમના શરીરથી અલગ થઈ ગયું હતું. પછી તો કાંઈક એવી ઘટના બની કે તે સાંભળીને તમારા રુવાડા પણ બેઠા થઈ જશે.

કહેવાય છે કે, દાદાનું મસ્તક તેમના શરીરથી અલગ થઈ ગયું આ દરમિયાન દાદાનું ધડ લુટેરાઓ સાથે લડ્યું હતું અને લુટેરાઓને ત્યાંથી ભાગવું પડ્યું હતું. આ ઘટના જ્યાં બની ત્યાં અત્યારે તીર્થધામ બની ગયું છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દાદાના દર્શન કરવા માટે આવે છે.

વીર વચ્છરાજ દાદા કચ્છના ખારા રણમાં બિરાજમાન છે અને આ રણમાં બધી જગ્યાએ ખારું પાણી જ મળે છે. પરંતુ અહીં દાદાના મંદિર પાસે એક ઝરણું છે ત્યાં ચમત્કારી રીતે ખારા હરણમાં મીઠું પાણી નીકળે છે. મિત્રો તમને જણાવી દઈએ કે અહીં રણમાં મીઠા પાણીનું ઝરણું વહે છે. રણની વચ્ચોવચ હેતુ મીઠા પાણીનું ઝરણું કોઈ કાલ્પનિક વાત નથી.

આ એક હકીકત છે. કચ્છના નાના રણમાં રણની વચોવચ વચ્છરાજબેટ નામનો એક બેટ આવેલો છે. મિત્રો અહીં મીઠા પાણીનું ઝરણું વહે છે અને અહીં કોઈ પણ પ્રકારનું ખોદકામ કે બોર વગર વર્ષોથી ચમત્કારી રીતે મીઠા પાણીનું ઝરણું વહે છે. અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓ આ મીઠું પાણી પ્રસાદના રૂપમાં પીવે છે.

વીર વચ્છરાજ દાદા લુટેરાઓ પાસેથી ગાયો છોડાવતી વખતે શહીદ થયા હતા. ગાયોને છોડાવતી વખતે દાદાનું મસ્તક તેમના શરીરથી અલગ થઈ ગયું હતું. છતાં પણ આ દરમિયાન દાદાનું ધડ લુટેરાઓ સાથે લડ્યું હતું અને લુટેરાઓ અને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો. આજે દાદાના મંદિરમાં હજારોની સંખ્યામાં ગાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*