સુરતની તાપી નદી નું સેમ્પલ લેવામાં આવ્યું, શું કોરોનાવાયરસ મળશે કે નહીં?

Published on: 5:44 pm, Tue, 22 June 21

રાજ્યમાં અમદાવાદમાં સાબરમતી નદીના પાણી ના સેમ્પલ લીધા હતા અને ટેસ્ટ દરમિયાન નદીના પાણીમાંથી કોરોના મળી આવ્યો હતો. રાજ્ય સરકારની સુચના બાદ સુરતની તાપી નદીનું પણ 11 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે.

જે સેમ્પલ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવ્યા છે. અમદાવાદ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.

જેના પગલે સુરત મહાનગરપાલિકાએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત તાપી નદીના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદમાંથી સાબરમતીના પાણી માંથી જે પ્રમાણે કોરોના અંશ મળી આવ્યા છે.

તેથી રાજ્ય સરકાર દ્વારા પાલિકાના તંત્રને હાઈએલર્ટ મોડ પર મૂકી દીધી છે. સુરત શહેરમાં કોરોના કે સતત ઘટતા લિંબાયત વિસ્તાર કોરોના થી મુક્ત બન્યું છે.

મળતી માહિતી મુજબ કોરોનાની ત્રીજી લહેર ની આગાહી કરવામાં આવી છે. તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.

સુરતમાં તાપી નદીના સેમ્પલ લેવાયા બાદ તે રિપોર્ટ અંગે આગળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદી સાથે આજુબાજુના વિસ્તારોમાં આવેલા જળાશયોના પણ સેમ્પલ આગામી દિવસમાં લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતની તાપી નદી નું સેમ્પલ લેવામાં આવ્યું, શું કોરોનાવાયરસ મળશે કે નહીં?"

Leave a comment

Your email address will not be published.


*