સલામ છે માયાભાઇ આહીરને…! ગરીબ લોકો માટે માયાભાઈ આહીરે પોતાની આટલા કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી દીધી…

Published on: 6:21 pm, Mon, 22 August 22

ગુજરાતના જાણીતા એવા હાસ્ય કલાકાર માયાભાઈ આહીર ને તો તમે જાણતા જ હશો જેમણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પોતાની નામના મેળવી છે. તેઓ હાલ તો દેશ વિદેશમાં જઈને ખૂબ મોટા મોટા શો કરી રહ્યા છે અને માયાભાઈ આહીર ના ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં લાખોની સંખ્યામાં ચાહકો પણ છે.

ત્યારે જો વાત કરવામાં આવે તો માયાભાઈ નું દિલ ખૂબ જ મોટું છે. તેઓ માત્ર પોતાના કલાકારોના કાર્યક્રમોમાં જ નહીં પરંતુ સેવાના કાર્યોમાં પણ આગળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો તેમણે ગરીબોના હિત માટે માયાભાઈ ને રાજુલા માંથી જમીન હતી. તેની કિંમત આશરે 1.50 કરોડ રૂપિયા હશે કે એ જગ્યા વેચાતી આપી દો મારે અહીં ગરીબો માટે દવાખાનું બનાવવાનું છે,એમ કહીને માયાભાઈ ઉદાર દિલથી એ જમીને દાનમાં આપી.

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે આ જમીન આપી દો જેટલા પૈસા માગશો એટલા આપીશ પરંતુ આ જમીન પર ગરીબોના હેતુ માટે દવાખાનું બનશે, ત્યારે માયાભાઈના આ જવાબ સાંભળીને સૌ કોઈ લોકો સ્તભ થઈ ગયા તેથી જ તો તેઓ પોતાના હાસ્ય કાર્યક્રમમાં જ નહીં પરંતુ સેવાકીય કાર્યોમાં પણ આગળ ધપ રહ્યા છે તેમ કહી શકાય.

માયાભાઈ એ બધુ માં જણાવતા કહ્યું કે હું અહીંનો દીકરો છું જો આવા કામ માટે પૈસા લો તો મારો આખો કુલ લજવાય માટે મારે એક પણ રૂપિયો નથી લેવું આ કામ ભલાઈનું જ છે અને આ જમીન ભેટમાં આપી દઉં છું, ત્યારે એવું સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ યુગ માં બીજાને મદદ કરવાની ભાવના સૌ કોઈમાં હોતી નથી પરંતુ આવા માણસો કે જેઓ બીજાનું પણ ભલું ઈચ્છે ભલાઈ ના કાર્યો કરે છે.

આવા સમયે પણ બધા જ લોકો એક બીજા ની મદદ કરે તેવું નક્કી નથી હોતું પરંતુ આજે માયાભાઈ આહીર સેવાકીય કાર્ય માટે પોતાની 1.50 કરોડની જમીન દાનમાં આપી ત્યારે હાલ તો તેમની બધા જ લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે અને તેમના આવા ઉદ્ધાર દિલ માટે પણ લોકો વાહ વાહ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સલામ છે માયાભાઇ આહીરને…! ગરીબ લોકો માટે માયાભાઈ આહીરે પોતાની આટલા કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી દીધી…"

Leave a comment

Your email address will not be published.


*