સગી માતાએ પથ્થર વડે પોતાના માસુમ દીકરાનું મોઢું છુંદી નાખ્યું અને તેનો જીવ લઈ લીધો…જીવ લેવાનું કારણ જાણીને તમે પણ હચમચી જશો…

Published on: 11:59 am, Wed, 21 September 22

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના ભૂગેડી ગામમાંથી સામે આવી રહી છે. અહીં એક માતાએ પોતાના જ દીકરાનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ખળભળાંટ મચી ગયો છે. ગામના લોકો વિચારમાં પડી ગયા છે કે માતાએ શા માટે આ પગલું ભર્યું હોય છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સંતરામપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાની ભુગેડી ગામે સીમામાં આવેલ ખેતરમાંથી એક માસુમ બાળકોનું મૃતદેહ મળી આવ્યું હતું. બાળકના માથાના ભાગે પથ્થર વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાળકનો જીવ લેનાર આરોપીને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે બાળકનો જે બીજા કોઈએ નહીં પરંતુ તેની માતાએ જ લીધો છે. પોલીસે આરોપી માતાની શોધખો શરૂ કરી છે. મૃત્યુ પામેલા બાળકના માતા પિતા અને એક ભાઈ મજુરી કામ અર્થે ભુજ ગામે રહીને પરિવારનું ભરણપોષણ કરતાં હતા.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આરોપી માતાનું નામ સવિતા છે. સવિતાના કચ્છના એક યુવાન સાથે અનૈતિક સંબંધ બંધાયો હતા અને તેની સાથે અવારનવાર મળવા જતા તેના અનૈતિક સંબંધોની જાણ તેના પતિને થઈ હતી. તેથી પતિ પોતાની પત્ની અને બંને બાળકોને લઈને પોતાના વતન સંતરામપુરાના નાની ભુગેડી ગામે આવ્યો હતો.

અહીં આવ્યા બાદ પત્ની વારંવાર પોતાના પતિને ભુજ ખાતે મજૂરી કામ કરવા માટે જવાનું કહેતી હતી. પરંતુ પતિએ ત્યાં જવાની ના પાડી હતી અને ગામમાં જ મજૂરી અને ખેતી કામ કરવાનું કહ્યું હતું. આ વાતને લઈને વારંવાર સવિતા અને તેના પતિ વચ્ચે ઝઘડા થવા લાગ્યા. પત્નીને ભુજ જવું હતું, પરંતુ પતિએ ચોખા શબ્દોમાં ભુજ જવાની ના પાડી દીધી હતી. પત્નીને પોતાના ગામમાં રહીને મજૂરી કામ કરવું મંજૂર ન હતો.

આખરે સવિતા પોતાના બાળકને લઈને પિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી. તે પોતાના પતિના ઘરેથી બાળકોને લઈને ભુજ ખાતે જવા રવાના થઈ હતી. પરંતુ પોતાના બાળકોને ભુજ ન લઈ જવા પડે તે માટે રસ્તામાં પોતાના બાળકનો જીવ લઈ લીધો હતો અને પોતાના પ્રેમી પાસે પત્ની જતી રહી હતી. ત્યારબાદ પોલીસે આરોપી માતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સગી માતાએ પથ્થર વડે પોતાના માસુમ દીકરાનું મોઢું છુંદી નાખ્યું અને તેનો જીવ લઈ લીધો…જીવ લેવાનું કારણ જાણીને તમે પણ હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*