માતાને સારવાર માટે લઈ જતી વખતે RSSના નેતાનું અકસ્માતમાં દર્દનાક મોત… અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા કાર…

સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં RSSના નેતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલા આરએસએસના નેતાનું નામ મહેન્દ્રસિંહ ચંદ્રાવત હતું. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના નિમચ જિલ્લામાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા મહેન્દ્રસિંહ ચંદ્રાવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મંદસૌર વિભાગના પ્રચારના વડા હતા.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મહેન્દ્રસિંહ ચંદ્રાવતની માતાની અચાનક જ તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ તેઓ તાત્કાલિક પોતાની માતાને સારવાર માટે રાજસ્થાનના ઉદયપુર જવા માટે રવાના થઈ ગયા હતા. રસ્તામાં તેઓ કાર ચલાવી રહ્યા હતા.

ત્યારે અચાનક જ તેમની છાતીમાં દુખાવો પડ્યો હતો. છાતીમાં દુખાવો ઉપાડતા જ તેમને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બેકાબૂ બનેલી કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં મહેન્દ્રસિંહ ચંદ્રાવત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ કારણોસર તેમનું કરુણ મોત થયું હતું. જ્યારે તેમની માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેમને સારવાર માટે ઉદયપુર મોકલવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*