બાથરૂમના નળ પર જામેલા ક્ષાર દૂર કરીને, નળને ચમકાવવા માટે ઉપયોગ કરો આ ઘરેલુ ઉપાય…

Published on: 11:56 am, Wed, 7 December 22

સોશિયલ મીડિયા પર આપણે દરરોજ ઘણા અવારનવાર ઘરેલુ ઉપાય વિશે જાણતા હશો. ત્યારે આજે અમે તમને એક ખૂબ જ ઉપયોગી ઘરેલુ ઉપાય વિશે જણાવવાના છીએ. આજકાલ બોરવેલના પાણીનો ઉપયોગ વધી ગયો છે. જેના કારણે ઘરના તમામ પાણીના નળ પર સફેદ કલરના પડ જામી જતા હોય છે. મોટેભાગના લોકોના ઘરમાં નળ પર આવા ડાઘા જોવા મળતા હોય છે.

ક્ષાર વાળું પાણી આવવાના કારણે નળની આજુબાજુ આ પ્રકારના સફેદ રંગના પડ જામી જતા હોય છે. તો ચાલો જાણીએ નળ પર લાગેલા ક્ષારના ડાઘાને કેવી રીતે સરળતાથી દૂર કરી શકાય. મિત્રો તમને બધાને ખબર હશે કે આ ફળ પાણીના નળ પર જામી જાય છે. પાણીમાં રહેલા ક્ષાર અને કેલ્શિયમ દ્વારા નળ ની આજુબાજુ આ પ્રકારના પડ જામી જતા હોય છે.

મોટેભાગના ઘરમાં બાથરૂમમાં સ્ટીલના નળ હોય છે. તેના પર આવા ડાઘા પડી જતા હોય છે અને તેને દૂર કરવા તમે આ સરળ ઉપાય નો ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ તમારે ડુંગળીને મિક્સરમાં પીસી લેવાની રહેશે. પછી તેનો રસ ગાળી લ્યો. ત્યારબાદ આ રસની અંદર બે થી ત્રણ ચમચી સફેદ વિનેગર મિક્સ કરો અને તેને કપડા પર લગાવો.

ત્યારબાદ તે મિશ્રણ લ્યો અને તમારા હાથ પર રબરના મોજા પહેરો. ત્યાર પછી આ મિશ્રણને નળની આજુબાજુ અને નળની ઉપર જામી ગયેલા પડ પર લગાડો. લગભગ બે મિનીટ સુધી આ મિશ્રણને રહેવા દો. ત્યાર પછી હુંફાળા પાણીથી નળ ને ધોઈ નાખો. થોડીક જ વારમાં તમને પહેલા કરતા સારું પરિણામ જોવા મળશે.

આ ઉપરાંત સ્ટીલના પાઈપ પર લાગેલા પાણીના ડાઘા દૂર કરવા માટે, લીંબુડા રસ નો ઉપયોગ કરી શકો છો. એક લીંબુ લો અને તેનો ખૂબ જ સારી રીતે રસ કાઢી લ્યો ત્યારબાદ એક સુતરાઉ કાપડ પર આ રસને લઈ લો. ત્યારબાદ નળ કે સ્ટીલની પાઇપ પર આ રસને લગાવી દો. 15 મિનિટ પછી નળ ને ધોઈ લ્યો અને થોડાક સમય બાદ તમને સારું એવો તફાવત મળશે.

નળ અથવા તો સ્ટીલની પાઇપ પર લાગેલા પડને દૂર કરવા માટે ઘણા ઘરેલુ ઉપચાર છે પરંતુ અમે તમને ઉપર મુજબ આપેલા ઉપચારથી પણ તમે ડાઘાને દૂર કરી શકો છો. જો આ ઘરેલુ ઉપચાર તમને પણ પસંદ આવ્યા હોય તો તમારા મિત્રોને આ માહિતીનો લાભ મળે તે માટે આ આર્ટિકલ શેર કરજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાથરૂમના નળ પર જામેલા ક્ષાર દૂર કરીને, નળને ચમકાવવા માટે ઉપયોગ કરો આ ઘરેલુ ઉપાય…"

Leave a comment

Your email address will not be published.


*