રાજકોટના રાજપૂત પરિવારનું ચોટીલા નજીક થયું અકસ્માત, અકસ્માતમાં 1 મહિલાનું મૃત્યુ અને 13 ઇજાગ્રસ્ત..

Published on: 10:19 pm, Tue, 27 July 21

આજકાલ વરસાદી માહોલમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને અકસ્માતમાં ઘણા લોકો પોતાના પરિવારના સભ્યો ગુમાવી બેઠા છે. ત્યારે રાજકોટના રાજપૂત પરિવાર ચોટીલા નજીક અકસ્માતનો ભોગ બન્યું છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં રાજપૂત પરીવારના 13 સભ્યોને ઇજા પહોંચી હતી.

અને તેને ચોટીલા અને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોઠારિયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર નજીક શિવધારા મહેતા ભાનુબેન મકવાણા નામના 40 વર્ષીય મહિલાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મહિલાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતા રાજપૂત પરીવારના બે જેટલા કુટુંબો ત્યારે વિચાર સુરાપુરા ના દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન ચોટીલા નજીક આવેલા આપાગીગા ના આટલા નજીક છોટાહાથી તેમજ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં પરિવારના 13 લોકોને ઇજા પહોંચી હતી. ઇજા પહોંચેલા લોકોને સારવાર માટે રાજકોટ અને ચોટીલા ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે સારવાર દરમિયાન ભાનુબેન નું મૃત્યુ થયું હતું. હા સમગ્ર મામલા પર સુરેન્દ્રનગર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

ત્યારે પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે સમગ્ર ઘટનામાં ચોટીલા નજીક છોટા હાથી ને પાછળથી ડમ્ફર વાહને ટક્કર મારી હતી અને ડમ્પર ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો. ડમ્ફરની પાછળથી ટક્કર લાગતા ફોટા હાથી પલટી ખાઇ ગયો હતો અને તેમાં બેસેલા લોકોને ઇજા પહોંચી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટના રાજપૂત પરિવારનું ચોટીલા નજીક થયું અકસ્માત, અકસ્માતમાં 1 મહિલાનું મૃત્યુ અને 13 ઇજાગ્રસ્ત.."

Leave a comment

Your email address will not be published.


*