ખોડીયાર માતાજીનું અપમાન કરનાર સ્વામીને રાજભા ગઢવીએ ઉધડા ઉપાડી લીધા, કહ્યું કે “અમારી 9 લાખ લોબડીયાળીએ ઘણા રાક્ષસોના વધ કર્યા, હવે તમારો વારો…”

મિત્રો સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદના હજુ તો થોડાક દિવસો જ થયા છે, ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ ફરી એકવાર સનાતન ધર્મના દેવીનું અપમાન કરી રહ્યું છે. આ સ્વામીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

જેમાં સ્વામી ખોડીયાર માતાજીનું વિશે એવું નિવેદન આપે છે કે સાંભળીને તમે પણ ગુસ્સામાં લાલચોળ થઈ જશો. આ નિવેદન વડતાલ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આપેલું છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને અનેક લોકોએ વિડીયો જોઈને પોતાના નિવેદનો પણ આપ્યા છે.

ત્યારે આ વીડિયોને લઈને ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પોતાનું નિવેદન આપ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે રાજભા ગઢવી આંકડા શબ્દોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીની ઝાટકણી કાઢી છે અને શાબ્દિક પ્રહારો કર્યા છે. રાજભા ગઢવી ડાયરામાં રહ્યા છે કે, ” અમારી 9 લાખ લોબડીયાળીઓએ કેટલાય રાક્ષસોના વધ કર્યા છે.

હવે તમારો વારો પાછળ છે એટલું યાદ રાખી લેજો. જે ખોડીયાર માં વિશે આવું બોલ્યા છે. કારણકે એ ગામેતર નથી જતું રહ્યું. અને ગમે એ ધર્મ હોય કુળદેવીને અને સુરાપુરાને તમારા ઇષ્ટદેવને ભુલાવીનેબીજે વાળવાનું કરે, એની બોચી સીધે સીધી પકડી લેજો. પછી આગળ જે પરિણામ આવું હોય તે આવે એટલી તો તૈયારી આપણે હવે કરવી જ પડશે. આ જાહેરમાં કહું છું અહીં.

આ ઉપરાંત રાજભા ગઢવીએ વીડિયોમાં ઘણું બધું કહ્યું છે. જે તમે નીચે આપેલા વીડિયોમાં જોઈ શકો છો. મિત્રો વડતાલ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આપેલા વિવાદિત નિવેદન વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*