બ્રાઝિલમાં 3 કલાકમાં વરસાદે તબાહી મચાવી દીધી, આ મોટી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 94 લોકોના મૃત્યુ…

Published on: 12:04 pm, Thu, 17 February 22

બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં પેટ્રોપોલિસ વિસ્તારમાં માત્ર 3 કલાકમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 94 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 54 ઘર ધરાશાયી થયા છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 21 લોકોનાં રેસ્ક્યુ કરાયા છે.

અને 35 લોકો ગુમ છે તેવી ખબર મળી છે. બ્રાઝિલ શહેરમાં મંગળવારના રોજ ભારે વરસાદ થયો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે.

બ્રાઝિલમાં 3 કલાકમાં 30 દિવસ જેટલો આ વરસાદ પડ્યો છે. તેના કારણે ઘણી જગ્યાએ ભુસ્ખલન જેવી પરિસ્થિતિ સર્જાય છે. ઉપરાંત 54 ઘર ધરાશાયી થઈ ગયા છે. આ ઘટના બન્યા બાદ રેસ્ક્યુ ટીમ કામે લાગી ગઈ હતી.

અત્યાર સુધીમાં 21 લોકોના રેસ્ક્યુ કરાયા છે. આ ઘટનાના કારણે ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર અહીં ત્રણ કલાકની અંદર 25.8 સેન્ટીમીટર જેટલો વરસાદ થયો હતો.

આ ઘટનામાં 180 સૈનિકો બચાવો અભિયાનમાં લાગ્યા છે. સમગ્ર ઘટનાને લઇને બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. લોકોને તાત્કાલિક મદદ કરવાના નિર્દેશ પણ આપ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બ્રાઝિલમાં 3 કલાકમાં વરસાદે તબાહી મચાવી દીધી, આ મોટી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 94 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*