અંબાણી પરિવારની નવી વહુ રાધિકાએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી, જુઓ વિડિયો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે 12 જુલાઈ 2024 ના રોજ અંબાણી પરિવારના ઘર આંગણે અનંત અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ લગ્નમાં બોલીવુડ સેલિબ્રિટી સહિત તમામ લોકો દેશ વિદેશથી ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમાં બિઝનેસમેન, સ્પોટ મેન તથા પોલિટિશિયન નો સમાવેશ થાય છે. આ બાદ 13 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકા માટે વડીલોના આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવારના વડીલોએ રાધિકા અને અનંતને નવા લગ્ન જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

14 જુલાઈ 2024 ને રવિવારનો દિવસ તમામ આમંત્રિત મહેમાનો માટે ખૂબ જ ખાસ અને યાદગાર બની ગયો હતો કારણકે આ દિવસે મંગલ મહોત્સવ એટલે કે રિસેપ્શન પાર્ટીના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સહિત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ગુજરાતી કલાકાર અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ દેશ વિદેશના બિઝનેસમેન પ્રાઇમ મિનિસ્ટર સાધુ-સંતોએ પણ વિશિષ્ટ ઉપસ્થિતિ આપે અંબાણી પરિવારના આ લગ્ન પ્રસંગને ખાસ અને યાદગાર બનાવ્યો હતો. આ લગ્ન માત્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ યાદગાર બની ગયા હતા.

આ લગ્ન બાદ અંબાણી પરિવાર ની નવી વહુ રાધિકાએ અંબાણી પરિવારના વતન જામનગરના ઘરમાં કુમકુમ પગલા કર્યા હતા પરંતુ તે પહેલા જામનગર વાસીઓદ્વારા નવદંપત્તિઓનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. અનંત અને રાધિકાએ બંને હાથ જોડી સાદગીભાવથી તમામ જામનગરવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આપણે સૌ લોકો જાણીએ છીએ કે જામનગર સાથે સમગ્ર અંબાણી પરિવાર ખૂબ જ જૂનો સંબંધ ધરાવે છે તથા આ જ ધરતીમાં તેમને પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી.