મોદી સરકારની ફી વેક્સિનની જાહેરાતને લઈને અરવિંદ કેજરીવાલે ઉઠાવ્યા સવાલ, જાણો વિગતે.

Published on: 4:31 pm, Thu, 10 June 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ લોકોને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે 21 જૂન પછી દેશના તમામ વ્યક્તિઓને ફ્રી વેક્સિન આપશે.

મોદી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ જાહેરાત કરી છે. 21 જૂન પછી તમામ વ્યક્તિઓને ફી વેક્સિન આપવાની જાહેરાત કરી દીધી પરંતુ સવાલ એ છે કે 21 જૂન પછી પણ વેક્સિન ક્યાંથી આવશે. આવું નિવેદન અરવિંદ કેજરીવાલે આપ્યું હતું.

2021 અને 22 ના બજેટમાં કોરોનાની વેક્સિન ખરીદવા માટે સરકારે 35,000 કરોડનું ફંડ રાખવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં બજેટમાં જે વેક્સિન માટે ફંડ માંથી 13 ટકા ખર્ચ થયો છે.

મોદી સરકારે કોરોનાની વેક્સિન ખરીદવા માટે 35 હજાર કરોડ રૂપિયાની રકમ આપી છે જેમાંથી અત્યાર સુધીમાં 4500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ તમામ જાણકારીઓ સરકાર તરફથી એક RTI માં આપવામાં આવી છે.

એક રિપોર્ટ અનુસાર વેક્સિન ખરીદવા માટે સરકારે અત્યાર સુધીમાં 4488.75 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ રકમમાંથી કોવીશીલ્ડ અને કોવેક્સિન ખરીદવા માટે ખર્ચ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોદી સરકારની ફી વેક્સિનની જાહેરાતને લઈને અરવિંદ કેજરીવાલે ઉઠાવ્યા સવાલ, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*