પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજીએ અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો

Published on: 7:35 pm, Sun, 6 November 22

મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યો છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ લોકો વિચારવા મજબૂર થઈ રહ્યા છે કે 27 વર્ષથી ભાજપે ગુજરાતને શું આપ્યો અને હવે લોકો ઈચ્છે છે કે શિક્ષણ આરોગ્ય રોજગાર જેવા મુદ્દાઓ પર કામ કરનારી સરકાર ગુજરાતમાં બને અને જનતાનો અભિપ્રાય જાણીને

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવી ને જાહેર કરવાના નિર્ણયને જનતાએ પણ ભરપૂર સમર્થન આપ્યું છે.વધારેમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યું કે આમ આદમી પાર્ટી ને ઈશુદાન ગઢવીના કારણે ગુજરાતની જનતાનો ઘણો બધો પ્રેમ મળી રહ્યો છે અને હવે જનતા પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તન ના આ અનુક્રમે આગળ વધારતા પંજાબના મુખ્યમંત્રી ભગવત માંનજીએ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જેવા કે હોળી

ચકલા રોડ ચમનપુરા અને ખમાસા જમાલપુર અને શાહ આલમ રોડ દાન લીમડા માં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો.આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં આયોજિત રોડ સોને ભગવત માંનજીના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓને કાર્યકરો સાથે મળીને સફળ બનાવી હતી જેમાં અમદાવાદના સ્થાનિક લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને આમ આદમી પાર્ટી પ્રત્યે પોતાનું સકારાત્મક સમર્થન જાહેર કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજીએ અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો"

Leave a comment

Your email address will not be published.


*