ઓમિક્રોન વેરીએન્ટ લઈને દેશ અને દુનિયામાં દહેશત જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના ના આ ઓમિક્રોન વેરીએન્ટ ને લઈને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં વિદેશથી આવતા લોકો માટે કવોરોન્ટાઈન ફરજિયાત કરી દેવામાં આવ્યો છે
તેમ જ વેક્સિન ઝૂંબેશ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.રાજકોટ IMA દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ ને લઈને મહત્વની સૂચનાઓ કરવામાં આવ્યા છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ અને કોરોના ના નવા
ઓમિક્રોન વેરીએન્ટ ને જોતા કેટલીક સ્વનિર્ભર શાળા સંચાલકોએ IMA પાસેથી સૂચનો મંગાવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્ટાફ ને લઈને મહત્વના સૂચનો કર્યા છે.આ માર્ગદર્શિકામાં કહેવાયું છે કે વિદ્યાર્થીને ઘરેથી ઉકાળેલું પાણી બોટલમાં લાવવાનું સૂચન કરાયું છે.
નાસ્તા અથવા જમવામાં દહીં છાશ જેવા ઠંડા પદાર્થ નો ઉપયોગ ન કરવો અને વિદ્યાર્થીઓએ ગરમ રાંધેલો નાસ્તો લાવો. કોરોના ના નિયમો, માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનો અમલ કરવું તેવું માર્ગદર્શિકા માં કહેવાયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment