કોરોનાની મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યપાલો સાથે કરી હતી મીટીંગ, જાણો શું કહ્યું નરેન્દ્ર મોદીએ.

Published on: 10:20 am, Thu, 15 April 21

દેશમાં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ જ ચિંતિત થયા હતા. તેના કારણે બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ સાથે એક કોન્ફરન્સ મિટિંગ કરી હતી. આ મિટિંગમાં દેશના જે રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું હતું તે બાબતે ચર્ચા વિચારણા થઇ હતી.

આ મિટિંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યપાલોની તેમની ભૂમિકા વિષે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર સાથે વળી ને કેવી રીતે કામ કરવું જે સલાહ આપી હતી.

અને કોરો નાની સ્થિતિને કાબુમાં મેળવવા માટે તમામ રાજ્યપાલ અને વિનંતી કરી હતી. દેશમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે તેના કારણે મહારાષ્ટ્રમાં તો પંદર દિવસનો કરતી પણ લગાવવામાં આવ્યો હતો.

આ મિટિંગમાં તમામ રાજ્યપાલો એ કહ્યું હતું કે સામાજિક સ્થળો પર માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ને લઈને રાજ્ય સરકાર સાથે વાતચીત કરી છે. અને દેશનાં તમામ રાજ્યોમાં રસીકરણ અભિયાન ઝડપી કરવા માટે પણ રાજ્ય સરકાર સાથે વાત કરી છે.

અને દેશમાં નવા રસીકરણ કેન્દ્ર સ્થાપવાની પણ આદેશ આપ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ અને કહ્યું હતું કે જે રાજ્યમાં કોરોના નું સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે.

તે રાજ્યમાં હોસ્પિટલમાં દર્દી માટે બેડની સુવિધાઓ પૂરી પાડવી અને રાજ્યમાં તમામ વ્યક્તિને કોરોના રસી ની ઉપલબ્ધિ માટે પણ સલાહ આપી હતી.

બેઠકમાં ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કોરોના સામે લડવા માટે તમામ રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે મળીને કામ કરવાની કોરોના પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાની મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યપાલો સાથે કરી હતી મીટીંગ, જાણો શું કહ્યું નરેન્દ્ર મોદીએ."

Leave a comment

Your email address will not be published.


*