પોપટભાઈ અને મહિપતસિંહ ચૌહાણ ખજૂરભાઈના સેવાકીય કાર્યો વિશે એવું બોલ્યા કે…જુઓ વિડિયો…

Published on: 12:36 pm, Fri, 2 September 22

ગુજરાતના મસીહા તરીકે ઓળખાતા ખજૂર ભાઈ ને તો તમે ઓળખતા જ હશો.જેઓ જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવામાં આગળ રહ્યા છે, ત્યારે તેઓ તો એક youtube પર પણ છે પોતાની કોમેડીથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે.સાથે સાથે મદદ કરવાની ભાવના રાખનાર આ ખજૂર ભાઈ આજે ગુજરાતના મસીહા તરીકે જાણીતા પણ થયા છે.

ગત વર્ષે આવેલા વાવાઝોડા દરમ્યાન ખજૂર ભાઈએ કેટલાય લોકોના નવા ઘર પણ બનાવી આપ્યા હતા અને ઉનાળાના સમયમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓના ઘરે કુલર જેવી વ્યવસ્થા પણ કરી આપી હતી. તેઓ તેમની મદદ કરવાની ભાવના રાખનાર હોવાથી આજે ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં બધા જ લોકો માટે લોકપ્રિય બન્યા છે.

એવામાં જ સમાજ તેના સેવાકીય કાર્યો હજુ પણ ચાલુ રહેશે ત્યારે બારડોલી નજીક એક જગ્યા લઈને તેની ઉપર વૃદ્ધાશ્રમ અને ગૌશાળા નું કાર્ય પણ હાથ ધરાયું છે કે જેમાં અંદર હજારો નિરાધાર વૃદ્ધોની ખજૂર ભાઈ પોતે સેવા કરશે. આજના સમયમાં પણ તેઓ મોટા પ્રમાણમાં સેવાકીય કાર્યો કરીને જરૂરિયાત મંદ વ્યક્તિઓની મદદ કરી રહ્યા છે,ત્યારે સોશિયલ મીડિયા મારફતે એક રંગીલુ ગુજરાત નામની youtube ચેનલ નો વિડીયો વાયરલ થયેલો નજરે પડ્યો છે.

જેમાં ખજૂર ભાઈ વિશે પોપટભાઈ અને મહિપતસિંહ ચૌહાણ પણ થોડીક વાત કરે છે તેમાં પોપટભાઈ કે જેવું પોપટ ફાઉન્ડેશનનું એક સેવાકીય ચલાવે છે અને તેઓ પણ આવી જ રીતે જરૂરિયાતમંદ વ્યક્તિઓની સેવા કરે છે. આ વીડિયોમાં વાત જાણે એમ છે કે પોપટભાઈ અને મહિપતસિંહ ચૌહાણ વચ્ચે સંબંધ થયો હતો કે ખજૂર ભાઈના દરેક કાર્યના તેમને ભરપૂર માત્રામાં વખાણ કર્યા અને કહ્યું છે કે ખજૂર ભાઈ અથવા તો પોપટભાઈ અથવા તો મહિપતસિંહ ચૌહાણ એકલા હાથે ગુજરાતને નહીં બદલી શકે.

આવા સેવાકીય કાર્યોની અંદર બધા લોકોની જરૂર છે, ત્યારે પોપટભાઈએ વીડિયોની અંદર જણાવ્યું છે કે અમે અમારી ટીમની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી એક નવો પ્રોજેક્ટ બહાર પાડવા જઈ રહ્યા છીએ,ત્યારે સૌ કોઈ ભેગા મળીને એ પ્રોજેક્ટને સાકાર કરવા ઈચ્છે છે. મહિપતભાઈએ વધુમાં જણાવતા કહ્યું કે દરેક જગ્યાએ મહિપતભાઈ કે પછી પોપટભાઈ કે પછી ખજૂર ભાઈ પહોંચવાના નથી.

તેથી દરેક વ્યક્તિએ પોતાની જાતે જ સમજીને અને આપણું કર્તવ્ય સમજીને કામ કરશે તો જ સૌ કોઈ મળીને આ દેશને બદલાવી શકે અને આપણા દેશની ગરીબીને ઓછી કરી શકીશું આવી જાગૃતિ લાવવા માટે પોપટભાઈએ એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેમણે સૌ કોઈ લોકોને જાગૃત કરવા માટેના અમુક સંબંધો કર્યા. જેનાથી જરૂરીયાત મંદ લોકોની આપણે પણ મદદ કરી શકીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પોપટભાઈ અને મહિપતસિંહ ચૌહાણ ખજૂરભાઈના સેવાકીય કાર્યો વિશે એવું બોલ્યા કે…જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*