ગુજરાતના લોકોએ ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનાર સી.આર.પાટીલ વિરુદ્ધ એક થવું જોઈએ : ઈશુદાન ગઢવી

Published on: 8:30 pm, Mon, 3 October 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક વિડીયોના માધ્યમથી જણાવ્યું કે, ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકી એ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેનો એક ફોટો શેર કર્યો અને એના માટે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા સી આર પાટીલે કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કરી દીધા. ઈશુદાન ગઢવી એ વાત કરતા જણાવ્યું કે કિશનસિંહ સોલંકીએ વર્ષો સુધી ભાજપ માટે દિવસ રાત કામ કર્યું આજે એમની શું વેલ્યુ કરી એ બધાએ જોયું. ગુજરાતની જનતાને કહેવા માગું છું કે, જો ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનાર સી આર પાટીલ ભાજપના નેતાઓને આ રીતે કાઢી મૂકે છે તો તમારા અને મારી જેવા સામાન્ય લોકોની શું હાલત થાય એ વિચારવા જેવી બાબત છે.

વધુમાં ઈશુદાન ગઢવી એ વાત કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓને મારી વિનંતી છે કે હજુ પણ સમય છે તો તમે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા સી આર પાટીલની ચાલને તમે સમજો. આજે કિસાન સિંહ સોલંકી નો વારો આવ્યો છે કાલે તમારો વારો આવશે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે જે લોકોને ટિકિટ જોઈતી હશે અને પદ જોઈતા હશે એ લોકો અત્યારે પાટીલજી પાટીલજી કરતા હશે. પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે લોકો ખંતથી ભાજપ માટે કામ કરતા હતા, એ લોકોની આજે કેવી દશા થઈ રહી છે. કાર્યકર્તાઓને નાની નાની વાતો પર સસ્પેન્ડ કરવા અને અપમાન કરવું આ કયા પ્રકારની તાનાશાહી છે?

વધુમાં ઈશુદાન ગઢવી એ વાત કરતા જણાવ્યું કે થોડાક દિવસ પહેલા સુરતના કારખાનામાંથી એક વેપારીએ કામદારોને કાઢી નાખવાની વાત કરી હતી. એમનું સીઆર પાટીલે સન્માન કર્યું હતું. આજે તેઓ નોકરી લઈ લેશે અને કાલે સી.આર.પટેલ તેમને અને મને ગુજરાતમાંથી કાઢી મૂકશે. વધુમાં ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે ગુજરાતના લોકોએ એક થવું જોઈએ. ભાજપના લોકોને પણ કહેવા માગું છું કે પાર્ટી અને પક્ષ પછી આવશે પણ સૌથી પહેલા આપણે સૌએ ગુજરાતના ભલા માટે ગુજરાતી બનવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના લોકોએ ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનાર સી.આર.પાટીલ વિરુદ્ધ એક થવું જોઈએ : ઈશુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*