તમામ જાતિ ધર્મના લોકો આજે આમ આદમી પાર્ટીને પોતાની પહેલી પસંદગીની પાર્ટી માની ચુક્યા છે : મનોજ સોરઠીયા

Published on: 11:59 am, Sat, 8 October 22

છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં ચૂંટણીને લઈને ખૂબ જ પ્રચાર કરી રહી છે ત્યારે નવી પાર્ટી હોવા છતાં આમ આદમી પાર્ટીને જન સમર્થન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે મિત્રો ચૂંટણી નજીક આવતા જ નેતા પક્ષ પલટો કરતા હોય છે ત્યારે ગઈકાલે ખેડા જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ અને ચકલાસી નગરપાલિકાના પૂર્વ

પ્રમુખ રવજીભાઈ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાના વરદ હસ્તે કોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેઓનું માનવું છે કે આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે જે સાચા અર્થમાં ગુજરાત અને ભારતને નંબર વન બનાવવા માંગે છે.

આપના નેતાઓ કહી રહ્યા છે કે રાજ્યમાં 27 વર્ષથી સરકાર બદલાણી નથી અને રાજ્યમાં અરવિંદ કેજરીવાલ પોતાનું પ્રતિત્વ બતાવી રહ્યા છે કેમકે અરવિંદ કેજરીવાલ હંમેશા પોતાની પહેલાં જનહીતના કાર્યોને જરૂરી સમજ્યા છે અને અરવિંદ કેજરી વાલે પંજાબમાં પણ કામ કરીને બતાવ્યા છે ને ગુજરાતમાં પણ શક્ય છે તેના માટે તેમને ગુજરાતની જનતાને દરેક ક્ષેત્રમાં ગેરંટી ની ભેટ આપી છે.

આમ આદમી પાર્ટીના નેતાઓએ વધારેમાં કહ્યું કે અમારી સરકાર બન્યા બાદ મફતમાં વીજળી મફતમાં સારું શિક્ષણ અને મફતમાં આરોગ્ય બેરોજગાર લોકોને રોજગારી વેપારીઓને ભયમુક્ત માહોલ મહિલાઓને દર મહિને હજાર રૂપિયા સન્માન રાશિ ઉપરાંત અનેક વસ્તુઓ ભેટ સ્વરૂપે અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને આપશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "તમામ જાતિ ધર્મના લોકો આજે આમ આદમી પાર્ટીને પોતાની પહેલી પસંદગીની પાર્ટી માની ચુક્યા છે : મનોજ સોરઠીયા"

Leave a comment

Your email address will not be published.


*