સુરતના આ બે મિત્રો નું અંગદાન 12 લોકોને આપશે નવુજીવન, સલામ છે આ દીકરાઓને…

Published on: 12:24 pm, Tue, 31 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતની આ ઘટના સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. અંગદાન ની વાત કર્યો હતો સૌથી આગળ જો કોઈ શહેર હોય તો એ સુરત છે. સુરતવાસીઓ અંગ દાન નું મહત્વ સમજે છે.

એક વ્યક્તિના અંગના નથી બીજા અન્ય લોકોને પણ સારું જીવન મળે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 45 લોકો નું હદય દાન કરવામાં આવ્યું છે જેમાં સુરત આગળ છે.

સુરત માટે 35 વખત હદયનું દાન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ 24 ઓગસ્ટના રોજ એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 12 કોમર્સમાં ભણતા 2 વિદ્યાર્થીઓને એક કાર ચાલકે ટક્કર મારી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને સારવાર માટે પીપલોદ ની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંને મિત્રોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં એક મિત્રનું નામ મિત કમલેશ કુમાર પંડ્યા અને બીજા મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ કિશ સંજય ભાઈ ગાંધી હતું.

બંને વિદ્યાર્થીઓના મૃત્યુ થયા બાદ વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા ડોનેટ લાઈફ સંસ્થા માધ્યમથી પોતાના મૃત્યુ પામેલા દીકરાઓની કિડની, લીવર, ફેફસા, હદય અને આંખોના દાન કરીને 12 વ્યક્તિઓને નવું જીવન આપીને માનવતાની મહેક ફેલાવી હતી.

ઉપરાંત બંને મિત્રો 18 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર કિશના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ પૂનામાં રહેતા CRPF માં ફરજ બજાવતા 54 વર્ષના વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મીતના હદયનું ટ્રાન્સપ્લાન્ટ બરોડા માં રહેતી 21 વર્ષની યુવતી માં કરવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના આ બે મિત્રો નું અંગદાન 12 લોકોને આપશે નવુજીવન, સલામ છે આ દીકરાઓને…"

Leave a comment

Your email address will not be published.


*