સાતલપુર હાઈવે પર બાઈક ચાલકને અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, એક વ્યક્તિનું મૃત્યુ…

Published on: 3:52 pm, Sat, 23 April 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જ ક્ષણમાં હસતો રહેતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે સાંતલપુર હાઈવે પર બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી. આ ઘટનામાં એક બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક બાઈક ચાલકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સાંતલપુર હાઇવે પૂરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહનચાલકે એક બાઈક ચાલકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં 30 વર્ષીય પ્રવીણસિંહ જાડેજાનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અરવિંદ સિંહ રાજપુત નામના વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આસપાસ ઊભેલા લોકોએ ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પ્રદીપ સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું અને પોલીસે સમગ્ર ઘટનાને લઇને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રદિપસિંહ મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સાતલપુર હાઈવે પર બાઈક ચાલકને અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, એક વ્યક્તિનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*