ગટરમાં ફસાયેલા એક મજૂરને બચાવવા માટે એક પછી એક 5 લોકો નીચે ઉતર્યા, 4 લોકોના મૃત્યુ…

Published on: 3:40 pm, Fri, 24 December 21

મહારાષ્ટ્ર બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગટરની અંદર ફસાઈ જવાના કારણે ચાર લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સોલાપુરમાં અક્કલકોટ રોડ, સનસિટી સામેના ગટરમાં બની હતી. મળતી માહિતી અનુસાર સોલાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળતી માહિતી અનુસાર AMRUT યોજના હેઠળ નવા અને જૂના ડ્રેનેજને જોડવા માટેની કામગીરી ચાલી રહી હતી.

ત્યારે આ ઘટના બની હતી આ ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર કામગીરી દરમિયાન એક મજૂર ગટરની અંદર ફસાઈ ગયો હતો મજુર ને બચાવવા માટે અન્ય પાંચ લોકો અંદર ઉતર્યા હતા. પરંતુ તેમાંથી ચાર લોકોના મૃત્યુ થઈ ગયા છે.

ઘટનાસ્થળે હાજર કામદારોએ જણાવ્યું કે, સૌપ્રથમ એક મજુર ડ્રેનેજમાં ઉતર્યો ત્યારે તે ફસાઈ ગયો હતો. જેથી તેને બચાવવા માટે એક પછી એક મજૂર નીચે ઉતરે છે. આવી રીતે કુલ 6 મજૂરો એક પછી એક નીચે આવ્યા હતા.

પરંતુ જેમાંથી 2 મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા. અને અન્ય 4 મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને કામદારોએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને કોઈ સુરક્ષાના કારણે આ ઘટના બની હતી.

આ સમગ્ર ઘટનાને લઇને મહાનગરપાલિકાએ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

હાલમાં ચારેય મજુરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગટરમાં ફસાયેલા એક મજૂરને બચાવવા માટે એક પછી એક 5 લોકો નીચે ઉતર્યા, 4 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*