આગામી ઐતિહાસિક વિધાનસભાની ચૂંટણીમાં માત્ર હવે દસ જ દિવસ બાકી છે. આમ આદમી પાર્ટી વિરોધી પાર્ટીઓને કાટાની ટક્કર આપી રહે છે. આમ આદમી પાર્ટી જનતાના મુદ્દાને લઈને સતત લોકો વચ્ચે જઈ રહે છે. આજે ગુજરાતમાં પરિવર્તનની આધી ચાલી રહી છે અને આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ પાટીની જીત માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કાર્યકર્તાઓનું જુસ્સો વધારવા માટે સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે અમરેલીમાં આયોજિત રોડ શો મા ભાગ લીધો હતો. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા.
રોડ શો દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરી વાલે હજારો લોકોને સંબોધતા કહ્યું કે, અમને ગુજરાતના લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે કે તમે લોકો મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું આપ સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. વધુમાં અરવિંદ કેજરી વાલે જણાવ્યું કે તમારી સારવાર માટે શાનદાર હોસ્પિટલો બનાવીશ. દિલ્હીમાં પણ અમે ઘણી સારી હોસ્પિટલો બનાવી, મોહનલા ક્લિનિક બનાવ્યા અને તમામ લોકો માટે સારવાર મફત કરી ગરીબ અને અમીર સૌની સારવાર મફત કરી દીધી. વધુમાં અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું કે ભગવાન ના કરે તમારા ઘરમાં કોઈ બીમાર પડે, પણ કોઈ બીમાર પડે તો તમારો ભાઈ તમારો દીકરો છે. હું બધો ખર્ચો ઉઠાવીશ. ગુજરાતમાં પણ દિલ્હીની જેમ શાનદાર મોહલ્લા ક્લિનિક બનાવીશ. વધુમાં અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું કે જે દવા પાંચ રૂપિયાની હશે તે પણ મફત અને જે ઓપરેશન 10 લાખનું હશે તે પણ મફત.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "અમારી સરકાર બન્યા પછી ₹ 5 ની દવા હશે તે પણ મફત અને ₹ 10,00,000 નું ઓપરેશન હશે તો પણ મફતમાં થશે: અરવિંદ કેજરીવાલ"