ફરી એક વખત રાજ્યમાં લોકડાઉન ને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન,જાણો તેઓએ શું કહ્યુ

Published on: 3:22 pm, Sat, 8 May 21

સમગ્ર ગુજરાત રાજ્યમાં વાયરસના સંકટ નો કહેર જોવા મળી રહ્યો છે. શહેરની સાથે સાથે હવે ગામડા ની પરિસ્થિતિ બગડી રહી છે અને બીજી લહેર માં વાયરસ ના કેસ વધવાની સાથે-સાથે મોતની સંખ્યા પણ વધી છે. આ દરમિયાન રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યમાં લોકડાઉન ને લઈને મોટું નિવેદન આપ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાલમાં કેસ ઘટી રહ્યા હોવાથી લોકડાઉન નું કોઈ આયોજન નથી. વિવિધ રાજ્ય લોકડાઉન કેસોની સંખ્યા ના આધારે કરી રહ્યા છે.

અને ગામડામાં આવેલ વાયરસને આપણે ગામડામાં જ અટકાવી દેવાના છે. ગામડામાં આઇસોલેશન સેન્ટર બને અને હોમ આઇસોલેશન ઓછું કરવામાં આવે.

ગામડામાં બધાના ટેસ્ટ કરવાને બદલે લક્ષણ વાળા નું ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી રૂપાણી એમ પણ કહ્યું છે કે ત્રીજી લહેર ની તમામ તૈયારીઓ પણ કરી લીધી છે.

સોમવારે ડોક્ટરો સાથે મીટીંગ કરીશું અને આપણે 2.5 કરોડ વેક્સિન ડોઝ ઓર્ડર આપ્યો છે જે પ્રમાણે જથ્થો મળે છે તે પ્રમાણે આપણે વેક્સિન આપીએ છીએ.

15 મે સુધીમાં 11 લાખ જેટલા ડોઝ આપણી પાસે પહોંચી જશું. જેમ જેમ જથ્થો આવશે તેમ આપણે વેક્સિન આપીશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ફરી એક વખત રાજ્યમાં લોકડાઉન ને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન,જાણો તેઓએ શું કહ્યુ"

Leave a comment

Your email address will not be published.


*