મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ તારીખે આવશે ગુજરાત, જાણો શા માટે?

Published on: 3:49 pm, Sat, 12 June 21

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષમાં ઘણી ઊથલપાથલ ચાલી રહી છે. આ ઉપરાંત ગઈકાલે ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ત્રણ દિવસ માટે ગુજરાતનો પ્રવાસ માં આવ્યા છે. આ ઉપરાંત ગઈકાલે સરકાર અને સંગઠનના તમામ નેતાઓ સાથે કોર કમિટીની બેઠક કરી હતી.

આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં આવેલી નવી પાર્ટી આમ આદમી પાર્ટીએ પોતાનો ગઢ નાખ્યું. હવે આમ આદમી પાર્ટીની નજર વિધાનસભાની આવનારી ચૂંટણી પર છે.

વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો ગઢ મજબૂત કરવા માટે 14 જૂનના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના અમદાવાદ શહેરમાં આવવાના છે. આ ઉપરાંત કોંગ્રેસ ની વાત કરી હતી કે આગામી થોડા દિવસોમાં જ કોંગ્રેસ પોતાના પ્રદેશ અધ્યક્ષ અને વિરોધપક્ષના નેતાનું નામ જાહેર કરી દેશે.

આ ઉપરાંત કોંગ્રેસ હાઈ કમાન્ડ હાર્દિક પટેલને પણ પાર્ટીમાં મોટી જવાબદારી સોંપી શકે છે. પ્રદેશ અધ્યક્ષ માટે અર્જુન મોઢવાડિયા,શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી નું નામ મોખરે છે.

આ ઉપરાંત આગામી સમયમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીને લઇને ગુજરાતના ખોડલધામ મંદિરના ચેરમેન નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી સારી રીતે કામ કરી રહી છે તે માટે ગુજરાતમાં સ્થાન મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ તારીખે આવશે ગુજરાત, જાણો શા માટે?"

Leave a comment

Your email address will not be published.


*