દવાખાને જતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, પરિવારના 4 લોકોના મૃત્યુ… ચાર સભ્યોના મૃત્યુ થતા પરિવાર ખાલી-ખાલી થઈ ગયું…

Published on: 3:25 pm, Tue, 30 August 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી લેશે જેમાં એક જણાની બેદરકારીના કારણે એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે નખત્રાણા તાલુકાના ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર સોમવારના રોજ રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે એક જ પરિવારના ચાર સભ્યોને કાળભરખી ગયો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર દવાખાને જતા ગોસ્વામી પરિવારને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે એક જ પરિવારના ચાર લોકોના કરુણ મૃત્યુ થયા હતા.

ઉપરાંત બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ તથા જ મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો અને અગ્રણીઓ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પ્રાથમિક માહિત મુજબ, નખત્રાણાના ગોસ્વામી પરિવારની બાળકીને ખેંચી ની બીમારી છે.

બાળકીની માંડવીના ખાનગી તબીબની દવા ચાલુ છે. મળતી માહિતી અનુસાર અચાનક જ રાત્રિના સમયે બાળકીને ખેંચીનો આંચકો આવતા પરિવારના લોકો કારના માળખતે બાળકીને ઈલાજ માટે માનવી લઈ જતા હતા. આ દરમિયાન રસ્તામાં કાર રસ્તા પર ઉભેલા ટ્રકની પાછળ અથડાઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

જ્યારે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટ મોટો માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

આ ગંભીર અકસ્માતની ઘટનામાં 53 વર્ષીય કસ્તુરીબેન દિનેશભારાથી ગોસ્વામી, 50 વર્ષીય પરેશભારાથી બચુભારાથી, 25 વર્ષીય સંગીતાબેન ચેતનભારાથી અને 3 વર્ષીય મનભારાથી ચેતનભારાથીનું કરોડ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ચેતન અને તેની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દવાખાને જતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, પરિવારના 4 લોકોના મૃત્યુ… ચાર સભ્યોના મૃત્યુ થતા પરિવાર ખાલી-ખાલી થઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*