પત્નીના મૃત્યુના ત્રીજા દિવસે પતિએ તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, પતિએ સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે….

Published on: 4:58 pm, Sat, 16 July 22

મિત્રો જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. લગભગ 2 દિવસ પહેલા ભોપાલમાં એક મહિલા શિક્ષકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. મહિલા શિક્ષિકાના મૃત્યુના ત્રણ દિવસે તેના પતિએ આજરોજ એક તળાવમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવી લીધું છે. પતિએ આ પગલું ભર્યું તે પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં સસરા અને સાળાને પોતાના મૃત્યુનો જવાબદાર ગણાવ્યા છે.

તમને જણાવી દઈએ કે, ઈન્દુ સાહુ નામની મહિલા શિક્ષિકાએ બે દિવસ પહેલા સુસાઇડ કરી લીધું હતું. આ પછી તેના પતિએ સુભાષ ઈન્દુ સાહુએ તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. સુભાષ સાહુએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારા મૃત્યુનું કારણ સાળો પ્રદીપ અને સસરા મદનલાલ છે. તેઓએ મારા પરિવારને બદનામ કર્યા છે.

હું તેના ઘરની ઈજ્જત બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તેઓ મારા ઘરને જ બદનામ કરી રહ્યા હતા. તેઓએ મને અને મારા પરિવારને બદનામ કર્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ભોપાલના શિવનગરના છોલામાં રહેતા 39 વર્ષ્ય સંગીત શિક્ષક સુભાષ સાહુની પત્ની ઈન્દુ સાહુએ ગુરૂવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું.

ઈન્દુ સાહુના ભાઈ અને તેના પિતાએ જમાઈને દીકરીના મૃત્યુના જવાબદાર ગણાવ્યા હતા. મળતી માહિતી અનુસાર સુભાષ આજરોજ સવારે બાઈક લઈને ઘરેથી નીકળી ગયો હતો. તેને એક તળાવમાં કૂદીને પોતાનું જીવનનો ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસએ સ્થાનની મદદથી પાણીમાંથી સુભાષના મૃતદેહને બહાર કાઢ્યું હતું. સુસાઇડ નોટમાં સુભાષ સાહુએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારા મૃત્યુનું કારણ મારો સાળો પ્રદીપ અને સસરા મદનલાલ છે. તેઓએ મારા પરિવારને બદનામ કર્યો છે.

હું તેમના ઘરની ઈજ્જત બચાવવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ તેઓએ મારા ઘરની ઇજ્જત કાઢી નાખી છે. આ ઉપરાંત તેઓએ મને માનસિક ત્રાસ પણ આપ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલીક વિગતો પણ તેને સુસાઇડ નોટમાં લખી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પત્નીના મૃત્યુના ત્રીજા દિવસે પતિએ તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, પતિએ સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…."

Leave a comment

Your email address will not be published.


*