અમદાવાદમાં એક જ દિવસે 2 મિત્રોનો અલગ-અલગ જગ્યાએ જીવ લઈ લેવામાં આવ્યો – જાણો શું છે આ સમગ્ર ઘટના…

Published on: 11:57 am, Sat, 21 May 22

અમદાવાદમાં એક જ દિવસે બે મિત્રો અલગ-અલગ જગ્યાએ જીવ લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ચોંકાવનારી ઘટના અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બની હતી. આ બનાવ બાદ બંનેના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા એક મિત્રનું મૃતદેહ તેના ઘરના રૂમમાંથી અને બીજા મિત્રને મૃતદેહ તેના ઘરના ખેતરમાંથી મળી આવ્યું છે.

આ બનાવ બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, બંને મિત્રોનો જીવ એક જ રીતે લઈ લેવામાં આવ્યો છે. એટલે કે બંને વિતરણનો ધારદાર વસ્તુઓ વડે જીવ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બીજો મિત્ર મારા હોવાના કારણે પોલીસને તેના પર શંકા છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે એકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વસ્ત્રાલમાં ન્યુ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં જીવ લીધેલી હાલતમાં એક યુવકનું મૃતદેહ તેના ઘરના રૂમમાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ સનસનાટી ફેલાઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ કલ્પેશ હતું અને તેની ઉંમર ચોવીસ વર્ષની હતી.

તે મોડી રાત્રે પોતાના મિત્રો સાથે બેસીને ઘરે આવ્યો હતો. પરિવાર રૂમની બહાર સૂતું હતું, જ્યારે કમલેશ રૂમમાં સુવા ગયો હતો. જ્યારે પરિવારે વહેલી સવારે ઊઠીને રૂમ ખોલ્યો ત્યારે અંદરથી કમલેશ મૃતદેહ મળી આવ્યો હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે એફએમસી અને ડોગ સ્કવોર્ડને આધારે તપાસ શરૂ કરી છે. આ દરમિયાન વધુ એક યુવકનો મૃતદેહ જીવ લીધેલી હાલતમાં ખેતરમાંથી મળી આવ્યું હતું. આ યુવકનો પણ ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો હતો.

આ ઘટના બનતા જ જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા બંને યુવકો મિત્રો હતા. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા કલ્પેશના મિત્ર રણજીત ગૌતમનું મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યું હતું. બંને મિત્રો નો એક જ પ્રકારે જીવ લઈ લેવામાં આવ્યો હતો.

તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા બંને યુવકનો ત્રીજો મિત્ર અશ્વિન ફરાર છે. બંનેનો જીવ અશ્વિને લીધો હશે તેવી પ્રબળ શંકાઓ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંને યુવકના જીવ લેવાને લઈને અલગ અલગ ફરિયાદ નોંધી છે. કયા કારણોસર બંનેનો જીવ લઈ લેવામાં આવ્યો હશે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં એક જ દિવસે 2 મિત્રોનો અલગ-અલગ જગ્યાએ જીવ લઈ લેવામાં આવ્યો – જાણો શું છે આ સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*