અમદાવાદના વેપારીના જન્મદિવસના દિવસે મિત્રએ વેપારીનો જીવ લઈ લીધો, જીવ લેવા પાછળનું કારણ જાણીને તમે ચોંકી જશો…

Published on: 2:40 pm, Wed, 1 June 22

અમદાવાદમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં એક વેપારીનો જન્મદિવસના દિવસે મિત્રએ વેપારીનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ધંધા માટે લીધેલા પૈસા પરત આપવામાં વિલંબ થતાં વેપારીનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાને લઇને ચાંદખેડા પોલીસે જીવ લેવાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર ચાંદખેડામાં તપોવન સર્કલ નજીક આવેલા દ્વારકેશ રેડિયન્સ સ્કીમમાં પૈસાની ઉઘરાણી કરવા આવેલા મિત્રએ વેપારીનો જીવ લઈ લીધો અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વેપારીનું નામ કમલેશ પટેલ હતું અને તેમનો જન્મદિવસ 30 મેના રોજ હતો. કમલેશ પટેલ વેલ્ટોસા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક હતા. મળતી માહિતી અનુસાર 30 મેના રોજ કમલેશ પટેલ પોતાની ઓફિસ પર હતા, ત્યારે ભદ્રેશ પટેલ નામના વ્યક્તિ 2 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવા ત્યાં આવ્યો હતો. ત્યારબાદ કમલેશભાઈ પટેલની કંપનીના કર્મચારીઓની હાજરીમાં કમલેશભાઈની ધુલાઈ કરવામાં આવી હતી.

આ કારણોસર કમલેશભાઈ બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ કંપનીના કર્મચારીઓ કમલેશભાઈ ને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે કમલેશ ભાઇને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ભદ્રેશ પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર 10 વર્ષથી કમલેશ પટેલ અને ભદ્રેશ પટેલ એકબીજાને ઓળખતા હતા.

બંને ખૂબ જ સારા મિત્રો હતા. મળતી માહિતી અનુસાર આરોપી ભદ્રેશ પટેલ કન્ટ્રકશનની સાથે ફાઇનાન્સનો ધંધો પણ કરતો હતો. છેલ્લા 7 વર્ષથી કમલેશ પટેલ અને ભદ્રેશ પટેલ વચ્ચે ધંધા માટે નાણાકીય વ્યવહાર ચાલતા હતા. મળતી માહિતી અનુસાર કમલેશ પટેલે જાન્યુઆરી 2022માં ભદ્રેશ પટેલની દુકાન ભાડે રાખીને વેલ્ટોસા પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરી હતી.

કમલેશ પટેલ આ દુકાનનું બે લાખ રૂપિયા ભાડું ચૂકવતા હતા. મળતી માહિતી અનુસાર કમલેશ પટેલે આરોપી ભદ્રેશ પટેલ પાસેથી 6 કરોડ રૂપિયા ધંધા માટે ઉછીના લીધા હતા. જેમાંથી 4 કરોડ રૂપિયા કમલેશભાઈ ચૂકવી દીધા હતા અને 2 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હતા. આ 2 કરોડ રૂપિયાને લઈને ભદ્રેશભાઈ ઉઘરાણી કરતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદના વેપારીના જન્મદિવસના દિવસે મિત્રએ વેપારીનો જીવ લઈ લીધો, જીવ લેવા પાછળનું કારણ જાણીને તમે ચોંકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*