21 જુલાઈએ અરવિંદ કેજરીવાલ જી ગુજરાતની જનતાને પહેલી ગેરંટી આપશે.

Published on: 3:33 pm, Tue, 19 July 22

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી 21મી જુલાઈ ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 21 જુલાઈ ના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી ગુજરાતની જનતાને પહેલી ગેરંટી આપશે. વધુમાં મનોજ સોરઠીયા એ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતના રાજ્ય સંગઠન સાથે સમીક્ષા બેઠક પણ કરશે.

મનોજ સોરઠીયા એ જણાવ્યું કે, આ કાર્યક્રમ માટે અરવિંદ કેજરીવાલ થી 20 જુલાઈના રોજ રાત્રે 8.30 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 21 જુલાઈના રોજ તેઓ મીડિયા અને ગુજરાતની જનતા સામે એક મોટી જાહેરાત કરશે. પછી અરવિંદ કેજરીવાલજી સાંજે 4.30 કલાકે દિલ્હી જવા માટે રવાના થશે.

મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, અગાઉ જ્યારે અરવિંદ કેજરીવાલજી અમદાવાદમાં આવ્યા હતા ત્યારે તેમને વીજળીના મુદ્દે જનતા સાથે જનસંવાદ કર્યો હતો અને ગુજરાતની જનતા સમક્ષ દિલ્હી મોડલ રજૂ કર્યું હતું. જેમાં અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતાના પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપ્યો હતો અને ગુજરાતની જનતાએ પણ અરવિંદ કેજરીવાલજીના દિલ્હી મોડેલના વખાણ કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ દિલ્હી જેવી વ્યવસ્થાઓ હોવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "21 જુલાઈએ અરવિંદ કેજરીવાલ જી ગુજરાતની જનતાને પહેલી ગેરંટી આપશે."

Leave a comment

Your email address will not be published.


*