ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર.

Published on: 10:21 pm, Sun, 1 November 20

ભારતના કોરોનાવાયરસ ના કેસ 81 લાખને પાર પહોંચી ગયા છે. દેશમાં કોરોના ના દર્દીઓ મોતનો આંકડો 1 લાખ 22 હજારને પાર પહોંચી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત 900 થી ઓછા નવા કોરોના કેસ નોંધાયા છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાત રાજ્યમાં નવા 860 કેસ નોંધાયા છે.રાજ્યમાં સૌથી ઓછા કે સમગ્ર રાજ્ય માટે સૌથી મોટા રાહતના સમાચાર ગણી શકાય છે. મહત્વની વાત એ છે.

કે રાજ્યનો રિકવરી રેટ 90 ટકાને પાર પહોંચ્યો છે. રાજ્યમાં 12833 એક્ટિવ કેસ છે.ગુજરાત રાજ્યમાં નવેમ્બર મહિનાની શરૂઆતમાં અત્યાર સુધીના સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ વર્ષે કોરોના ના કારણે ધંધામાં પણ ખૂબ જ નુકસાની ગઈ છે. અને સાથે સાથે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 860 કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,73,804 પર પહોંચ્યો છે. ગુજરાત રાજ્યમાં રિકવરી રેટ વધીને 90.47 ટકા થયો છે.

રાજ્યમાંકોરોના ટેસ્ટિંગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*