કોરોના ના નવા સ્વરૂપ ની દહેશત વચ્ચે ગુજરાત રાજ્ય માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માં કોરોના કેસ વધવાની સાથે કોરોના ના નવા સ્વરૂપ ના પાંચ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું
,જોકે સૌરાષ્ટ્ર ના જામનગરમાં પોઝિટિવ આવેલા દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ થોડો રાહતનો શ્વાસ લીધો છે.કોરોના ના નવા સ્વરૂપ ના નોંધાયેલ ત્રણેય દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા 3 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
દર્દીઓ પોઝિટિવ આવ્યાના 12 દિવસ બાદ ફરીથી રિપોર્ટ કરાયા હતા જેમાં રિપોર્ટ નેગેટિવ આવતા ત્રણેય દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, ગુજરાતના પ્રથમ ત્રણ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે, ત્યારે હવે ગુજરાતમાં ઓમિક્રોનનો માત્ર એક કેસ એક્ટિવ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
જે ગુજરાત રાજ્ય માટે મોટા રાહત ના સમાચાર ગણી શકાય. મહત્વની વાત એ છે કે રાજ્યમાં કેટલાક દિવસથી કોરોના કેસમા સતત વધારો થઇ રહો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં ઉછાળો આવ્યો હતો.
શહેર અને જિલ્લામાં 20 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેર અને જિલ્લામાં 9 દર્દી સાજા થયા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા છે. જ્યારે 43 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment